ભારતીય રેલ્વે ટ્રેનથી યાત્રા કરવા પર અનેક પ્રકારની છૂટ આપે છે. આવી જ એક છૂટ સીનિયર સિટિજન્સને પણ ભાડામાં આપવામાં આવે છે. આ છૂટ દરેક ક્લાસ એટલે કે મેલ, એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી, જન શતાબ્દી અને દુરંતો ટ્રેનોમાં મળે છે.
ત્યારે હવે સીનિયર સિટિજન્સ કૈટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)નાં લોયલ્ટી પ્રોગ્રામનો ફાયદો પણ ઉઠાવી શકે છે. મતલબ બિલકુલ સ્પષ્ટ છે કે સીનિયર સિટિજન્સને હવે ડબલ ફાયદો મળશે. આપને જણાવી દઇએ કે 60 વર્ષ અને તેનાંથી અધિક ઉંમરનાં પુરુષ અને 58 વર્ષ અને તેનાંથી અધિક ઉંમરની મહિલાઓને ટ્રે્ન ટિકિટનાં ભાડામાં છૂટ મળે છે. પુરૂષોને 40 ટકા અને મહિલાઓને 50 ટકાની છૂટ મળે છે.
IRCTCનો લોયલ્ટી પ્રોગ્રામઃ
આપ જ્યારે પણ આપે ડેબિટ અથવા તો પછી ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતી ખરીદદારી પર રિવોર્ડ પોઇન્ટ પણ લઇ શકે છે. કાર્ડ પર ખર્ચ કરવામાં આવેલ પ્રત્યેક 100-150 રૂપિયા પર આપને 1-5 પોઇન્ટ મળે છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો પ્લૈટિનમ રિવોર્ડ પોઇન્ટ્સ કાર્ડ પર આપ જો પ્રત્યેક 150 રૂપિયા ખર્ચ કરવા પર પાંચ પોઇન્ટ સુધી મળી શકે છે. પ્રત્યેક પોઇન્ટની વેલ્યૂ બેંક અને પ્રોડક્ટનાં આધાર પર 0.25થી 1ની થઇ શકે છે. આ રિવોર્ડ પોઇન્ટ્સને ખર્ચ કરી હવે ટિકિટને બુક કરી શકાશે.
IRCTCએ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર જણાવેલ છે કે હવે સીનિયર સિટિજન્સ ટિકિટ પર વર્તમાન છૂટછાટ સાથે આ રિવોર્ડ પોઇન્ટને આધારે ટિકિટ બુક કરાવી શકો છો. મતલબ સ્પષ્ટ છે કે હવે તેઓને બે ફાયદો મળશે.
આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે રેલ્વે યાત્રીઓની પાસે IRCTC પ્લેટિનમ SBI કાર્ડ હોવું જરૂરી છે.
--> યાત્રીઓને SBI કાર્ડ ટ્રેવલથી એવી ટિકિટ બુકિંગ કરવા પર રિવાર્ડ પોઇન્ટ્સનાં રૂપમાં અનેક ફાયદાઓ સિવાય દસ ટકા સુધીનું કેશબેક મળે છે.
--> રિવાર્ડ પોઇન્ટ ફર્સ્ટ ક્લાસ એસી ટિકિટોની બુકિંગ કરીને પ્રાપ્ત કરવામાં આવી શકે છે. રિવાર્ડ પોઇન્ટ્સ એસી ફર્સ્ટ ક્લાસ સિવાય, એસી સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ એસી ટિકિટોની ખરીદી પર પણ મળશે.
--> સ્લીપર ક્લાસની ટિકિટ બુકિંગ પર SBI કાર્ડ રિવાર્ડ પોઇન્ટ નહીં મળે. ખાસ વાત તો એ છે કે SBI રિવાર્ડ પોઇન્ટ રજિસ્ટ્રેશન બાદથી ત્રણ વર્ષ સુધી માન્ય હશે. જો મેમ્બરશિપનું નવીનીકરણ નહીં કરાવ્યું તો પોઇન્ટ ઓછાં થઇ શકે છે.