TRAIએ jio, Airtel અને Vi ટેલીકોમ કંપનીઓને નંબર પોર્ટ માટે SMS શોર્ટ કોડ 1900 મોકલવાની સુવિધા તરત શરૂ કરવાના આદેશ આપ્યા છે.
દરેક મોબાઈલ ફોન યુઝર્સને મળશે પોર્ટેબિલિટીની સુવિધા
ગ્રાહકે ગમે તેટલાનું રિચાર્જ કરાવ્યું હોય
1900 પર SMS કરવા પર મળશે સુવિધા
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAIએ ટેલીકોમ કંપનીઓને ટેક્સ્ટ મેસેજ કે SMS શોર્ટ કોર્ડ 1900 મોકલવાની સુવિધા તરત આપવાના આદેશ આપ્યા છે. આ સુવિધાની મદદથી યુઝર્સ એક નેટવર્કથી બીજા નેટવર્ક પર સરળતાથી પોર્ટ કરી શકશે. ટ્રાયે આ સર્વિસને દરેક પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને આપવાનો આદેશ આપ્યો છે.
આ કારણે આપ્યો આદેશ
હકીકતે ટેલિકોમ કંપનીઓએ અમુક નવા ટેરિફ પ્લાનમાં મફત SMSની સુવિધાને બંધ કરી દીધી હતી. જેના કારણે ગ્રાહક પોર્ટ કરવા માટે મેસેજ ન હતા મોકલી શકતા. TRAIએ ટેલિકોમ કંપનીઓએ આ ચાલાકીને નિયમોનું ઉલ્લંઘન માન્યું છે. ટ્રાયના અમુસાર પ્રીપેડ યુઝર્સને SMSની સુવિધા ન આપવી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી એટલે કે એમએનપીના નિયમોનું ઉલ્લંઘન છે.
એવામાં TRAIએ દરેક ટેલીકોમ ઓપરેટર્સને પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને મોબાઈલ યુઝર્સ માટે તત્કાલ પ્રભાવથી શોર્ટ કોડ 1900 પર SMS મોકલવાની સુવિધા આપવાના આદેશ કર્યા છે.
ગ્રાહકોએ કરી ફરિયાદ
TRAIનું કહેવું છે કે તેને હાલમાં જ ટેલીકોમ યુઝર્સ પાસેથી ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. યુઝર્સનું કહેવું છે કે તે પર્યાપ્ત રિચાર્જ હોવા છતાં શોર્ટ કોડ 1900નો SMS નથી મોકલી શકતા. આટલું જ નહીં ટ્રાયને એવી પણ ફરીયાદ મળી હતી કે અમુક ટેલીકોમ કંપનીઓ અમુક પ્રીપેડ પ્લાનમાં SMSની સુવિધા નથા આપી રહ્યા.