ટેકનોક્રેટ અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આજે લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પિત્રોડાએ કહ્યું હતું કે, આજે દેશમાં તમે ખુલ્લા મને કંઇ કહી શકતા નથી, ખુલ્લા વિચારો તમે કંઇ જ કહી શક્તા નથી. આ દેશમાં તમારે કંઇ કહેવું હોય તો 10 વખત વિચારવું પડે છે. PM મોદી કહે છે કે 50 વર્ષમાં કોંગ્રેસે કંઇ નથી કર્યુ, દેશ આઝાદ થયો ત્યારે દેશની હાલત ખરાબ હતી. દેશમાં આજે જે વિકાસ છે તે કોંગ્રેસના શાસનમાં થયો છે. છેલ્લા 25 વર્ષમાં દેશમાં મોબાઇલનું પ્રમાણ વધ્યુ છે.