હિન્દુ ધર્મગ્રંથોમાં મહા મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગનો શુભારંભ થયો હતો. મૌની અમાસના દિવસે મૌન ધારણ કરવાનું પણ પ્રચલન સનાતનથી ચાલી રહ્યુ છે. આ કાળ એક દિવસ એક માસ એક વર્ષ કે આજીવન પણ હોઈ શકે છે.
જ્યોતિષિયો મુજબ આ દિવસે મૌન ધારણ કરવાથી વિશેષ ઊર્જાની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને કુંભના મેળામાં આવેલા સાધુ સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ આસ્થાનું સ્નાન કરવાના છે.
શાસ્ત્રોમાં એવુ વર્ણન છે કે આ દિવસે નર્મદા ગંગા સિંઘુ કાવેરી સહિત અન્ય પવિત્ર નદીમાં સ્નાન દાન જપ અનુષ્ઠાન કરવાથી અનેક દોષોનું નિવારણ થાય છે. આ દિવસે બ્રહ્મદેવ અને ગાયત્રીનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે અને તે ખુબ ફળદાયી નિવડે છે.