ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.
આજે મનપા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
અમદાવાદમાં આજે ભાજપની જનસંપર્ક યાત્રા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતમાં
છેલ્લી ઘડીના પ્રચારને ઝંઝાવાતી બનાવવાનો પ્રયાસ
ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે.
વડોદરા મનપા કોંગ્રેસના ઉમેદવારો માટે કરશે પ્રચાર સાતવ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાત આવશે. મનપા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેઓ ગુજરાતની મુલાકાત લેશે જ્યાં વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે. છેલ્લી ઘડીના પ્રચારને ઝંઝાવાતી બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તૈયારી કરી છે. આ સિવાય બૂથ મેનેજમેન્ટ માટે સાતવ પ્રદેશ નેતાઓને માર્ગદર્શન પણ આપશે.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યાત્રા
બીજી તરફ ભાજપ દ્વારા પર મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ભાજપની જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ યાત્રા કરવામાં આવશે જે સવારે 9 કલાકે સરદારનગરથી શરૂ થશે. અમદાવાદના તમામ હોદ્દેદારો આ જનસંપર્ક યાત્રામાં જોડાશે. 7 વિધાનસભા તથા 17 વોર્ડમાંથી જનસંપર્ક યાત્રા પસાર થશે. આ યાત્રાનો રૂટ 22 કિલોમીટર રાખવામાં આવ્યો છે અને ખાડીયા ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે.