પ્રથમ 5 લાખ વિદેશીઓને મફત ટુરિસ્ટ વીઝા જારી કરવામાં આવશે.
લાઈસન્સ ધારક ટુરિસ્ટ ગાઈડને 1 લાખ રુપિયા તથા ટુરિસ્ટ એજન્સીને 10 લાખ રુપિયાની લોન આપવામાં આવશે. આ લોનને 100 ટકા ગેરન્ટી આપવામાં આવશે તથા તેની પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નહીં લાગે. આ સ્કીમ 31 માર્ચ 2022 સુધી લાગુ રહેશે. આ સ્કીમ હેઠળ 100 કરોડ રુપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવશે. એક ટુરિસ્ટને ફક્ત એક વાર આ સ્કીમનો લાભ મળશે. વિદેશી ટુરિસ્ટોને વીઝાની મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો લાભ મળશે.
પ્રથમ 5 લાખ વિદેશી પ્રવાસીઓ માટે મફત વીઝા
નાણા મંત્રી સીતારામણે પ્રથમ 5 લાખ વિદેશી પ્રવાસીઓ માટે મફત વીઝાની પણ મોટી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે 2019 માં લગભગ 1.93 કરોડ વિદેશી ટુરિસ્ટ ભારત આવ્યાં હતા.
નાણા મંત્રીની મહત્વની જાહેરાતો
- કોવિડથી પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરન્ટી સ્કીમ.
- હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા.
- અન્ય સેક્ટર્સ માટે 60 હજાર કરોડ રૂપિયા.
- હેલ્થ સેક્ટર માટે લીધેલી લોન પર 7.95 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ નહિ હોય.
- અન્ય સેક્ટર્સ માટે વ્યાજ 8.25 ટકાથી વધુ નહિ હોય.
- ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે.
- નાના કારોબારી-ઈન્ડિવિઝ્યુઅલ એનબીએફસી, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુટમાંથી 1.25 લાખ સુધીની લોન લઈ શકશે.