અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને માટે બનનારું ટ્રસ્ટ PM મોદીની ઈચ્છાને અનુરૂપ ભારતીયતા અને ભાઈચારાનો સંદેશ આપનારું હશે. ટ્રસ્ટના સદસ્યની રીતે જાણીતી મુસ્લિમ વ્યક્તિની શોધ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે વિધ્વંસ બાદ અયોધ્યા ન જનારા PM મોદી પોતે મંદિરનો શિલાન્યાસ કરી શકે છે.
PM મોદી કરી શકે છે શિલાન્યાસ
ટ્રસ્ટ ભાઈચારા અને ભારતીયતાનો આપશે સંદેશ
ટ્રસ્ટના સદસ્યો માટે ખાસ વ્યક્તિઓની શોધ થઈ શરૂ઼
આ બાબતોના આધારે તૈયાર થશે ટ્રસ્ટ
સુપ્રીમ કોર્ટના આદેશથી બનનારું ટ્રસ્ટ સોમનાથ મંદિર નિર્માણ ટ્રસ્ટની જેમ કામ કરશે. જો કે આ ટ્રસ્ટ તેનાથી મોટું હશે. ગૃહમંત્રી કે પર્યટન મંત્રીને તેના અધ્યક્ષ બનાવવામાં આવે તે શક્ય છે. તેના સભ્યોની સંખ્યા 20થી વધારે હોઈ શકે છે. ટ્રસ્ટમાં રામજન્મભૂમિ ન્યાસને મહત્વ આપવામાં આવશે. તેના નક્કી કરાયેલા સ્ટ્રક્ચરના આધારે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડા સહિત સામાજિક ક્ષેત્રની નામી વ્યક્તિઓને પણ સામેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
બિન વિવાદિત લોકોને ટ્રસ્ટમાં કરવામાં આવશે સામેલ
મળતી માહિતિ અનુસાર PM મોદીની ઈચ્છા છે કે રામ મંદિર નિર્માણની પ્રક્રિયામાં ક્યાંય કટુતા જોવા ન મળે. પરંતુ લોકો સુધી એવો સંદેશ પહોંચે કે મંદિર નિર્માણ દરેક સમુદાય અને દેશની ઈચ્છાના કારણે થઈ રહ્યું છે. આ કારણ છે કે ટ્રસ્ટમાં એવી વ્યક્તિઓને સામેલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે જેની પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા હોય તેમાં દરેક વર્ગની જાણીતી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ રહેશે.
મંદિર માટે 67 એકર જમીનનો ઉપયોગ થશે
મંદિર નિર્માણ માટે નક્કી કરવામાં આવેલી 67 એકર જમીનનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્ય મંદિરનું નિર્માણ 2.77 એકરમાં થશે અને અન્ય બચેલી જગ્યા પર અન્ય પ્રકારના નિર્માણ માટેની ડિઝાઈન તૈયાર થશે. સરકારની કોશિશ રામનવમી કે તેની પહેલાં જ મંદિરના નિર્માણનું કામ શરૂ કરવાની છે.
મોટા પર્યટન સ્થળના રૂપમાં વિકસાવવાની તૈયારીઓ શરૂ
પર્યટન મંત્રાલયે તેને સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના આધારે પર્યટન સ્થળના રૂપમાં વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જેના આધારે રામ મંદિર સુધી પહોચવા માટે સડક, રેલ અને હવાઈ વ્યવસ્થાની જોગવાઈનો પણ રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અયોધ્યાની આધારભૂત સંરચનાને માટે પણ જલ્દી જ રોડમેપ તૈયાર કરવામાં આવશે.