ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે અત્યારે શોમમાં ભિડે માસ્ટરના બીજા લગ્નને લઈને હંગામો મચ્યો છે. હકીકતમાં પોપટલાલની બાલ્કનીમાં એક સાઉથ ઈન્ડિયન યુવતીને જોઈને ગોકુલધામવાસીઓ ખુશ થાય છે કે, આખરે પોપટલાલે લગ્ન કરી લીધા. જોકે, બધાં પોપટલાલથી નારાજ પણ થાય છે કે, પોપટલાલે જાણ કર્યા વિના જ લગ્ન કરી લીધા. એ પછી બધાં નિર્ણય લે છે કે આ વાત જેઠાલલાને જણાવવી જોઈએ.
ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે
શોમાં અવારનવાર ટ્વિસ્ટ અને ટર્ન્સ આવતા રહે છે
પોપટલાલે જાણ કર્યા વિના જ લગ્ન કરી લીધા હોવાથી ગોકુલધામમાં હડકંપ મચ્યું
ભિડેના બીજા લગ્નને લઈને થાય છે કન્ફ્યૂઝન
ટપ્પુ જ્યારે જેઠાલાલને પોપટલાલના લગ્નની વાત કરે છે તો જેઠાલાલ ભિડેએ બીજા લગ્ન કરી લીધા હોવાનું સમજે છે. આ વાત જાણીને જેઠાલાલ ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે અને એ પછી તે સમગ્ર વાત તારક મહેતાને ફોન કરીને જણાવે છે.
જેઠાલાલ અને તારક મહેતા ભિડે સાથે ઝઘડ્યા
ભિડેના બીજા લગ્નની ગેરસમજને કારણે જેઠાલાલ અને તારક બંને ગોકુલધામ આવે છે. ત્યારબાદ જેઠાલાલના ઘરે તાત્કાલિક ભિડેને પણ બોલાવે છે. તારક અને જેઠાલાલ ભિડે સાથે પૂછપરછ કરવા લાગે છે. ભિડે તેમને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તેઓ કંઈ સમજતા નથી અને ભિડે તેમના સવાલોથી કંટાળીને જેમ તેમ કરીને તેમના ચુંગલમાંથી ભાગી જાય છે. લોકો પૂછે છે કે, આખરે કેમ ભિડે ભાગી ગયા અને પછી જેઠાલાલ પણ ભિડેની પાછળ પાછળ જાય છે.
ભિડેના બીજા લગ્નની વાત સાંભળીને માધવી થઈ બેભાન
ભિડેના બીજા લગ્ની વાત સાંભળીને ભિડેની પત્ની માધવી બેભાન થઇ જાય છે. જ્યારે બીજા લગ્નની વાત સાંભળીને નારાજ જેઠાલાલ અને તારક તેને મારવા દોડે છે. તો બાપુજી તેમને રોકે છે અને કારણ પૂછે છે તો તારક મહેતા જણાવે છે કે, ભિડેએ બીજા લગ્ન કરી લીધા છે. આ સાંભળીને માધવી બેભાન થઇ જાય છે. તો બીજી બાજુ ભિડે પણ ચોંકી જાય છે. ભિડે લગ્ન ન કર્યાં હોવાની સ્પષ્ટતા કરતા પોપટલાલે લગ્ન કર્યાં હોવાનો ખુલાસો કરે છે. આ સમયે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થાય છે અને ગેરસમજ દૂર થાય છે. ભિડે કહે છે તે બીજા લગ્ન કરવાનું વિચારી પણ ન શકે. એ પછી ભિડે જેઠાલાલ પર ગુસ્સે થાય છે કારણ કે તે આખી વાત સાંભળતો નથી.
કેવી રીતે ખુલશે લગ્નનું રહસ્ય
ગેરસમજ દૂર થતા તારક ભિડેથી માફી માગે છે. તો બીજી તરફ ભિડે તેને જણાવે છે કે, પોપટલાલે ગોકુલધામમાં કોઇને પણ જણાવ્યા વિના લગ્ન કરી લીધા છે. આ વાત સાંભળીને બંને દંગ રહી જાય છે. હવે લગ્નને લઇને સર્જાયેલ ગુત્થી ક્યારે ઉકેલાશે. શું ખરેખર પોપટલાલે લગ્ન કરી લીધા છે. તેના માટે તમારે તારક મહેતાના આગામી એપિસોડ જોવા પડશે.