આજની તણાવ ભરેલી જિંદગીમાં કેટલાય લોકો માથાના દુખાવાથી પરેશાન થઇ જાય છે. માથાનો દુખાવો તણાવ માઇગ્રેન અને અધુરી ઊંઘને કારણે થાય છે. આ દુખાવાનો સમયસર ઇલાજ કરવામાં ના આવે તો તે ગંભીર રૂપ ધારણ કરે છે અને ત્યારબાદ કેટલીય સમસ્યા પણ થાય છે. ત્યારે અમે આપને આજે એક એવા ઇલાજ વિશે જણાવીશું જેના દ્વારા કોઇપણ વ્યક્તિ પોતાનો માથાનો દુખાવો મટાડી શકે છે.
આદુ
માથાના દુખાવમાં તાત્કાલિક અસરથી રાહત મેળવવા માટે આદુનો ઉપાય અકસીર છે. આ માટે આદુને પાણીમાં નાંખીને ઉકાળવું જોઇએ. ખુબ જ પ્રમાણમાં ઉકાળ્યા બાદ તેને પીવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
લીંબૂનો રસ
માથાના દુખાવા માટે પાણીમાં આદુ અને લીંબૂના રસને યોગ્યમાત્રામાં મેળવીને દિવસમાં 2 વાર સેવન કરવાથી માથાના દુખાવામાં ત્વરિત રાહત થાય છે.
ફુદીનો
માથના દુખાવાનો અકસીર ઇલાજ છે ફુદીનો ફુદીનાના પાનનો રસ યોગ્ય માત્રામાં કાઢીને તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં તાત્કાલિક અસરથી રાહત મળે છે.
બરફના કટકા
માઇગ્રેનના ઇલાજ માટે આઇસ ક્યૂબને ગરદનના પાછળના ભાગમાં ઘસવાથી રાહત મેળવી શકાય છે.
લવિંગ
લવિંગને એકદમ પીસીને એક કપડાંમાં બાંધી લઇ તેને થોડીવાર સૂંઘવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.