શનિ અને રાહુનો યોગ જીવનમાં મોટા સંકટ લાવે છે. જો તમે પણ આવા સંકટનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાયો તમારી મદદ કરશે.
શનિ અને રાહુનો યોગ લાવશે સંકટ
બચવા માટે કરી લો આ ખાસ ઉપાયો
શનિના 3 યોગ હોય છે સૌથી ખતરનાક
શનિ અને રાહુનો યોગ થવાથી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવાની સ્થિતિ આવે છે. વ્યક્તિને આર્થિક અને પારિવારિક બાધાઓનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે ગોપનીય પ્રકારની બીમારી હોય છે જે સરળતાથી પકડમાં આવતી નથી. માણસની મુશ્કેલીઓ વધતી જાય છે.
ઉપાય
ભૂલથી પણ કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ ન કરો. શનિવારે સાંજે પીપળાની નીચે સરસિયાના તેલના 4 દીવા કરો. રોજ સવારે જળમાં ગૌમૂત્ર મિક્સ કરીને સ્નાન કરો. શનિવારે સરસિયાના લનું દાન કરો.
વિષ યોગ જેમાં શનિ અને ચંદ્રની રહે છે અસર
આ યોગ હોય તો વ્યક્તિને નશાની લત, નશીલી દવાઓની આદત પડે છે. વ્યક્તિ કોઈ પણ અપરાધિક સંગતમાં આવી જાય છે અને ગુનામાં ફસાઈ જાય છે. જો દશા ખરાબ આવે તો તે ડિપ્રેશનનો શિકાર બને છે અને આત્મહત્યા સુધીના પગલા ભરે છે.
ઉપાય
સોમવારે ઉપવાસ કરવો અને આ દિવસે દૂધ અને જળનું સેવન કરવું. રોજ સવારે 108 વાર ઓમ જૂં સઃ મામ પાલય પાલયનો જાપ કરો. શનિવારે હોસ્પિટલમાં દવાઓનું દાન કરો. સોમવારે શિવજીને શેરડીનો રસ અર્પિત કરો.
વિષ યોગ જેમાં શનિ અને સૂર્યની અસર હોય તો
જો કુંડળીમાં આવો યોગ બની રહ્યો હશે તો વ્યક્તિને ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ જ સફળતા મળે છે. વ્યક્તિને પિતાનું સુખ મળતું નથી કે વ્યક્તિ પિતા સાથેના સંબંધો બગાડી દે છે. વ્યક્તિના હાડકા અને સ્નાયુ તંત્રની ગંભીર સમસ્યા અનુભવે છે. જે લાંબા સમયે મુશ્કેલીનુ કારણ બને છે.
ઉપાય
આ મુશ્કેલીથી રાહત મેળવવા માટે સવારના સમયે રોજ સૂર્યને જળ ચઢાવો અને સાંજે પીપળીને જળ ચઢાવો. સવારે બ્રશ કર્યા પછી સૌ પહેલાં ગોળ ખાઓ. ઓમ સૂર્યપૂત્રાય નમઃ મંત્રનો સાંજના સમયે 108 વાર જાપ કરો અને તાંબાના વાસણમાં ભોજન કરો.