ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ 3 આરોપીની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થતા આજે ત્રણેય આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
ધંધૂકાનો કિશન ભરવાડ હત્યા કેસ
પોરબંદરમાં રેકી કરનારના રિમાન્ડ પૂર્ણ
આતંકી તાર અંગે ATSને આશંકાઓ
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ 3 આરોપીની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થતા આજે ત્રણેય આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી મોહમ્મદ રમીઝ મોહમ્મદ હુસેન અને મતીન ઉસ્માનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ATSએ આરોપીઓના વધુ રિમાન્ડ માટે માગ કરી હતી. આરોપીઓએ કિશન ભરવાડની હત્યાના ષડયંત્રને અંજામ આપવા પોરબંદરમાં રેકી કરી હતી. તેમજ ગુનામાં વાપરવામાં આવેલી પિસ્તોલ અન્ય આરોપીને સોંપી હતી. આથી તમામ આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરાઈ હતી. આરોપીઓ કટ્ટરવાદી સંગઠન કે આતંકી પ્રવૃત્તિ સાથે સડોવાયેલું હોવાની શંકાને લઈને ATSએ તપાસ શરૂ કરી છે.
ધધુકામાં કિશન ભરવાડના હત્યા મામલો એક એક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે કુલ 3 આરોપીની ગુજરાત ATSએ ઘરપકડ કરી છે. પોરબંદરથી ઝબ્બે થયેલા આ આરોપીમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. તેઓએ રાજકોટના અજીમ સમાને હથિયાર સપ્લાઈ કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.
અત્યારસુધીમાં 9 શખ્સની ધરપકડ
આ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદન મળીને કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
1500 જેટલી પુસ્તક છપાવી કટ્ટરવાદી વાતો ઉલ્લેખી
આરોપી મૌલાના અયુબે જાબરવાલે એક પુસ્તક છપાવી હતી. જજબા-એ-શહાદતની 1500 જેટલી પુસ્તક છપાવી મસ્જીદમાં આવતા યુવકોને ફ્રીમાં આપવામાં આવી હતી. આ પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ કર્યો હતો.