ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે આ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોક સંવાદ કરશે તેમજ 16 થી 21 ઓગસ્ટ દરિમાયન વિવિજ જગ્યાએ ગુજરાતનો પ્રવાસ પણ કરનાર છે ત્યારે ભાજપના કેન્દ્રિયમંત્રી દેવસિંહ ચૌહાણ આજે બનાસકાંઠાથી જન આર્શિવાદ આત્રાનો પ્રારંભ કરશે.
અંબાજીથી જનઆશિર્વાદ યાત્રાનો કરશે પ્રારંભ
મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજી ખાતે અંબા માતાના દર્શન કર્યા બાદ રતનપુર ગામેથી યાત્રાનો શુભારંભ કરશે જેમાં 167 કિ.મી યાત્રા કરી લોકો સાથે સંર્પક કરી સરકારની વિવિધ પ્રજાલક્ષી કાર્યો અને વિવિધ યોજનાઓને પ્રચાર કરી પ્રજા સમક્ષ પહોંચાડશે. મહત્વનું છે કે તેમની સાથે અનેક જિલ્લાના ધારાસભ્યો અને ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાશે. મહત્વનું છે કે આગામી વિભાગ સભાની તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મંત્રી દેવુસિંહની જેમ જ અન્ય કેન્દ્રિય મંત્રીઓ પણ આજથી યાત્રાનો શુભારંભ કરશે.
કયા મંત્રીઓને કઈ જવાબદારી?
મંત્રી દર્શન જરદોશને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાની જવાબદારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કવાયત હાથ ધરી છે ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ
રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે. જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા નિયુક્ત પામેલા સંગઠન મંત્રી ગુજરાત મંગળવારે ગુજરાત આવી શકે છે તેઓ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ મોવડીમંડળ સાથે બેઠક યોજશે તેવું પણ મનાઈ રહ્યું છે.
ભીખુ દલસાણીયાને મળી શકે મહત્વની જવાદબાદીરી
છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયાને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે તેવું મનાઈ રહ્યું છે ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.