જો મચ્છર કરડતા હોય તો તેનાથી બચવા માટે આપણે આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરીએ છીએ અથવા તો પછી મચ્છર ભાગી જાય તેની વિવિધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને સાથે જ ઘરમાં સ્વસ્છતા જાળવીએ છીએ. પણ જો શરીર પર મચ્છર કરડે તો તે જગ્યાએ લાલ નિશાન થઈ જાય છે માટે જાણો કે તેનાથી કેવી રીતે બચવુ જોઇએ...
મચ્છર કરડે ત્યારે તેની ખંજવાળથી બચવા માટે બરફવાળા કોલ્ડ પેકન ઉપયોગ કરી શકો છો અને જો તે ના હોય તો બરફનો ટુકડો પણ ઘસી શકાય છે તેનાથી ખંજવાળમાં થોડી રાહત મળશે.
બેકિંગ સોડાની ટ્યૂબનો ઉપયોગ કરવાથી રાહત મળશે અને સાથે જો વધુ જ ખંજનાળ આવતી હોય તો બાથટબમાં પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે.
તમે તમારી નજીકની દવાની દુકાનમાંથી આલ્કોહોલ સાફ કરવાનું એક રૂ અથવા તો કપડું લઇ આવો અને જ્યા ખંજવાળ આવતી હોય તે ભાગ પર તેને ઘસો તેનાથી મચ્છરના કીટાણુનો નાશ થશે.
સોજો મટી જાય તેનું ANTI-INFLAMMATORY CREAM મચ્છર કરડવાથી થતી ખંજવાળ દૂર કરવા માટે વાપરી શકાય છે તેનાથી ખંજવાળ દૂર થશે.
કેટલીક એવી દવાઓ પણ બજારમાં ઉપલબ્ધ છે કે તેના કારણે જ્યાં મચ્છર કર્ડો હશે ત્યાં સોજામાં રાહત મળશે અને ખંજવાળ હશે ત્યાં પણ રાહત મળશે. આ પ્રકારની દવાઓ દવાની દુકાન કોઇપણ પ્રિક્રિપ્શન વગર મળી રહેશે.