દિલ્હીથી ભાજપના સાસંદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર 'જન રસોઇ' ભોજન નામની યોજનાઅ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં તેમના સંસદીય મત વિસ્તાર પૂર્વ દિલ્હીમાં લોકોને 1 રૂપિયામાં બપોરનું ભોજન પીરસવામાં આવશે.
ગૌતમ ગંભીર જન રસોઈ કેન્દ્ર શરૂ કરશે
તેના મતવિસ્તારમાં લોકોને 1 રૂપિયામાં ભોજન અપાશે
એકીસાથે 100 લોકોના બેસવાની વ્યવસ્થા હશે
ભાજપના સાંસદ ગૌતમ ગંભીર તેમના મતક્ષેત્રમાં 'જન રસોઇ' ભોજન યોજનાનું લોકાર્પણ કરશે, જેમાં જરૂરિયાતમંદ લોકોને એક રૂપિયામાં બપોરનું ભોજન આપવામાં આવશે. આ મામલે ગૌતમ ગંભીર એ જણાવ્યું હતું કે ઑફિસે કહ્યું કે તેઓ ગુરુવારે ગાંધીનગર વિસ્તારમાં પ્રથમ રેસ્ટરન્ટ શરૂ કરશે, ત્યારબાદ પ્રજાસત્તાક દિનના રોજ અશોક નગરમાં આવી જ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે.
વધુમાં ગંભીરે કહ્યું, "હું હંમેશાં માનું છું કે જાતિ, ધર્મ અને આર્થિક સંજોગોથી આગળ, દરેકને તંદુરસ્ત અને સ્વચ્છ ખોરાક મેળવવાનો અધિકાર છે. દુ:ખની વાત છે કે બેઘર અને નિરાધાર લોકો દિવસમાં બે વખત ભોજન પણ મેળવી શકતા નથી. ''
ગંભીરએ દસ દિલ્હી વિધાનસભા મતક્ષેત્રોમાં ઓછામાં ઓછી એક 'જન રસોઇ' ભોજન કેન્દ્ર ખોલવાની યોજના બનાવી છે. ગંભીરની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે, "દેશના સૌથી મોટા જથ્થાબંધ કાપડ બજારોમાંના એક ગાંધીનગરમાં આ એક કેન્દ્ર ખોલવામાં આવશે, તે જ કિચન સંપૂર્ણ આધુનિક હશે, જેમાં જરૂરિયાતમંદોને એક રૂપિયામાં ભોજન આપવામાં આવશે."
100ની બેઠક વ્યવસ્થા પરંતુ કોવિડના લીધે 50 જ બેસી શકશે
તેમના નિવેદન મુજબ, એક સમયે 100 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ કોવિડ -19 રોગચાળાને લીધે માત્ર 50 લોકોને બેસવાની મંજૂરી મળશે. બપોરના ભોજનમાં ચોખા, કઠોળ અને શાકભાજી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને ગૌતમ ગંભીર ફાઉન્ડેશન અને સાંસદના અંગત સંસાધનોથી આપવામાં આવશે અને સરકારની મદદ લેવામાં આવશે નહીં.