ટીમ ઇન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ખુલાસો કર્યો છે કે કોરોનાના કારણે એમએસ ધોની પાસેથી એક મહત્વની તક છીનવાઇ ગઇ છે.
કોરોનાના કારણે ધોનીના હાથમાંથી ગઇ તક
ધોની 2020માં કરી શક્યો હોત આ કામ
પૂર્વ સિલેક્ટર સરનદીપ સિંહે કર્યો ખુલાસો
કેટલાક પૂર્વ ક્રિકેટ દિગ્ગજોનું કહેવું છે કે જો તે ઇચ્છે તો ટીમ ઇન્ડિયાને એક વધુ વર્લ્ડકપ અપાવીને અલવિદા કહે પરંતુ કોરોનાને કારણે ટી-20 વર્લ્ડ કપને રદ્દ કરવામાં આવ્યો અને ધોની જેવુ ઇચ્છતા હતા તેવું ન થઇ શક્યું.
ભારતના પૂર્વ ચીફ સિલેક્ટર સરનદીપ સિંહે ખુલાસો કર્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની 2020માં ચોક્કસ ટી-20 વર્લ્ડકપ રમત પરંતુ કોરોનાએ બધુ બદલી નાંખ્યુ અને ધોનીએ સન્યાસ લેવો પડ્યો.
સરનદીપ સિંહે એક ઇન્ટરવ્યૂ વખતે કહ્યું કે ધોની ફીટ હતો અને તે 2020નો વર્લ્ડકપ રમી જ શકત. જો કોરોના વાયરસે ખલેલ ન પહોંચાડી હોત તો તે 2020નો વર્લ્ડ કપ જરૂર રમ્યા હોત.
સરનદીપ સિંહે આગળ કહ્યું કે સિલેક્શન સમિતીના બધા જ સદસ્યોનું માનવુ હતુ કે ધોની ટી-20 વર્લ્ડકપ રમવા લાયક હતા. તે એક ખેલાડી અને કેપ્ટનના રૂપે ઇન્ડિયાને જે આપ્યુ છે તે આ મોકાના હકદાર હતા.