ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં હાલ સર્વેની કામગીરી ચાલું છે. આજે ત્રીજા દિવસે પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
આજે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો ત્રીજો દિવસ
અત્યાર સુધીમાં 80 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઇ
સર્વે બાદ હિન્દુ પક્ષનો પુરાવા અને તથ્યો મળ્યા હોવાનો દાવો
મુસ્લિમ પક્ષ દ્વારા કંઇ ન મળ્યુ હોવાનો દાવો કરાયો
ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ વધી રહ્યો છે. કોર્ટે આ મસ્જિદના સરવેની છૂટ આપી દીધી હતી, જે બાદ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મોટા ભાગના વિસ્તારની વીડિયોગ્રાફી કરી લેવામાં આવી છે. અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વીડિયોગ્રાફીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જોકે અંતે કોર્ટના કડક આદેશનું પાલન કરાયું હતું.
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ચોંકાવનારા રહસ્યો સામે આવ્યાં
ઉત્તર પ્રદેશના વારણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી દરમિયાન ઘણાં ચોંકાવનારા રહસ્યો સામે આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરની ઉપરના ભાગે શ્રૃંગાર ગૌરી માતા મંદિરના ઉપરના ભાગને જોતા એવું લાગી રહ્યું છે કે, તેના શિખર કોઈએ ગુંબજ બનાવી દીધો હોય.
અંદર ક્યાં ક્યાં નિશાન મળ્યા ?
જ્ઞાનવાપી પરિસરમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દરમિયાન મસ્જિદના દિવાલો પર ત્રિશૂલ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા હતા. જ્યારે અંદર મગરમચ્છની મુર્તી પણ હતી. જ્ઞાાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે. મસ્જિદની અંદર બે કૂવા છે. ભોંયરામાં બે ઘંટડીઓ છે. તેમજ સંસ્કૃતના શ્લોક અને પાણીના સ્ત્રોત મળ્યાં છે. આ સાથે મસ્જિદના પાંચ ભોંયરા મળી આવ્યાં છે. જેમાં ભગવાના ભૈરવની સવારી શ્વાનનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક ભોંયરાનો દરવાજો બંધ છે. જેને ઈટોથી ભરીને બંધ કરી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 80 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઇ
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપરી મસ્જિદમાં સર્વેનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધી મસ્જિદમાં 80 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સર્વે બાદ હિન્દુ પક્ષનો પુરાવા અને તથ્યો મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ મુસ્લિમ પક્ષ દ્વારા કંઇ ન મળ્યુ હોવાનો દાવો કરાયો છે. મહત્વનું છે કે, કમિશનની કાર્યવાહી બાદ એક રિપોર્ટ તૈયાર થશે. જે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે