ચાણક્યનીતિ અનુસાર, અમુક બાબતો તમારી લવ લાઈફ કે મેરીડ લાઈફને નષ્ટ કરી શકે છે જાણો કઈ છે આ બાબતો
સબંધોનાં મામલામાં આ 4 વાતોનું રાખો ધ્યાન
તોડી શકે આ તમારો સંબંધ
નષ્ટ થઇ શકે છે લવ લાઈફ
સંબંધો પર શું કહે છે ચાણક્યનીતિ?
લવ લાઈફ તથા મેરીડ લાઈફનાં મામલામાં ઘણી વાર એક નાની સમસ્યા પણ મોટું સ્વરૂપ લઇ લે છે તથા સંબંધ તૂટવાની કગાર પર આવી જાય છે. અમુક મામલાઓમાં તો સંબંધ તૂટી પણ જાય છે. મહાન વિદ્વાન, કુટનીતિજ્ઞ તથા વ્યવહારિક જીવનનાં ખૂબ જ સારા માર્ગદર્શક આચાર્ય ચાણક્યએ સંબંધોને લઈને ખૂબ જ મહત્વની વાતો જણાવી છે, જે આજે પણ લાગુ પડે છે. ચાણક્યનીતિ અનુસાર, 3 વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ નહીતર પરેન સંબંધ કે વિવાહ તૂટવાની કગાર પર પહોંચી જાય છે.
આ વાતોથી હંમેશા બચો
અપમાન
આચાર્ય ચાણક્ય કહે છે કે સંબંધ પ્રેમનો હોય કે પતિ-પત્નીનો, તેમાં પ્રેમની સાથે સાથે સમાનનું હોવું ખૂબ જ જરૂરી છે. જો બંને એકબીજાનું સમ્માન ન કરે કે એકબીજાની અદેખાઈ કરે તો તેમનો સંબંધ નબળો પાડવામાં સમય નથી લાગતો. સારી લવ લાઈફ તથા મેરીડ લાઈફ માટે પાર્ટનરને પ્રેમની સાથે સાથે રીસપેક્ટ પણ આપવી જરૂરી છે.
દેખાડો
આમતો જીવનમાં ક્યારેય દેખાવ ન કરવો જોઈએ. દેખાવ કરવું થોડા સમય માટે તમારી ઈમેજને સારી બનાવી શકે છે પરંતુ પછી એટલું નુકસાન અપાવે છે, જેને ટાળવું અધરું પડી જાય છે. તમે લોકોની નજરમાં સમાન અને ભરોસો ખોઈ બેસો છો. ખાસ કરીને પ્રેમ સંબંધનાં મામલામાં તો દેખાવ કરવો ખૂબ જ ભારે પડી જાય છે. કોશિશ કરો કે દરેક મામલામાં પાર્ટનર સાથે સહજટા દાખવો.
ઈગો કે ઘમંડ
ઈગો સારા ખાસા સંબંધને નષ્ટ કરવાની તાકાત રાખે છે. એટલા માટે પોતાના સંબંધમાં ક્યારેય ઈગો ન આવવા દો. ઘમંડ વ્યક્તિને હકીકતથી દૂર કરે છે તથા તેને પોતાના પાર્ટનરને નીચું સમજવા પર મજબૂર કરે છે. એટલા માટે ઈગો તથા ઘમંડથી હંમેશા દૂર રહો.
શંકા
સંબંધની મજબૂતીનો આધાર ભરોસો હોય છે. શંકા કરવી આ આધારને ડગાવી દે છે. શંકાની નાનકડી તિરાડ પ્રેમ કે વૈવાહિક જીવનનાં મજબૂત સંબંધને તોડી દે છે.