શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પૂજા સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે 5 મંત્રોનો જાપ કરી લેવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે. શ્રાવણમાં ભગવાન શિવજીની મંત્રજાપ સાથે પૂજા કરવાથી ભક્તોને જીવન અને મરણના ચક્રથી મુક્તિ મળે છે. શિવ સૃષ્ટિના સંહારક છે અને પાલક પણ. તો તેમની અપાર કૃપા મેળવવા કરી લો આ ખાસ મંત્રોના જાપ અને જાણો મંત્ર જાપનું મહત્વ પણ.
શ્રાવણમાં શિવપૂજાનું છે ખાસ મહત્વ
શિવજીની પૂજામાં મંત્રજાપનું પણ છે અનેરુ માહાત્મ્ય
શિવજીની પૂજા અપાર કૃપા અને પુણ્ય આપે છે
આ મંત્રથી થાય છે મૃત્યુનો ભય દૂર
ओम त्र्यंबकम याजमाहे सुगंधिम पुष्ठी वर्धनमउर्वारुकैमिवा बंधनाथ श्रीमती सुब्रमण्यम
શિવપુરાણમમાં શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. તેનાથી સંસારના તમામ કષ્ટ દૂર થાય છે અને પાપનો નાશ થાય છે. સાથે જ તેના જાપથી જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે.
આત્માની શુદ્ધિ માટે ખાસ મનાય છે આ મંત્ર
करारचंद्रम वैका कायाजम कर्मगम वी
श्रवणनजम वा मनामम वैद परामहम
विहितम विहिताम वीए सर मेट मेटाट
क्षासव जे जे करुणाबधे श्री महादेव शंभो
શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ ફળદાયી ગણાય છે. શ્રાવણમાં રોજ આ મંત્રનો જાપ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે. શ્રાવણમમાં જપથી આત્માની શુદ્ધિ થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
ધન પ્રાપ્તિ માટે છે આ ખાસ મંત્ર
ओम नमः शिवाय
આ શિવમંત્ર સરળ પણ છે અને પ્રચલિત પણ છે. તેનો અર્થ છે તે હું ભગવાન શિવને નમન કરું છે. શ્રાવણમમાં 108 વાર તેનો જાપ કરવાથી ભગવાન શિવની અધિક કૃપા મળે છે. સાથે જ ધનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓ પર પણ વિજય મળે છે.
ભોલેનાથના આર્શિવાદ અપાવે છે આ સ્ત્રોત
શિવપુરાણ અનુસાર જે વ્યક્તિ શ્રાવણમાં શિવ તાંડવ સ્ત્રોતનો જાપ કરે છે તેને ભગવાન ભોલેનાથના આર્શિવાદ મળે છે. જો કોઈ તંત્ર, મંત્ર કે શત્રુ પરેશાન કરતા હોય તો શિવ તાંડવ સ્ત્રોત તમારા માટે ફાયદારૂપ રહેશે. તેનાથી જીવનમાં વિશેષ ઉપલબ્ધિઓ મળે છે.
આ શિવ ગાયત્રીમંત્રને પ્રભાવશાળી ગણાવાયો છે. શ્રાવણમાં રોજ આ મંત્રનો જાપ કરવાથી સમસ્યાઓ દૂર ભાગે છે. શિવના દરેક રૂપની પૂજામાં આ મંત્રજાપ કરવાથી સફળતા મળે છે અને રોગ પણ તમારાથી દૂર રહે છે.