Budget 2022 ની સાથે સાથે 1st February થી બીજા કેટલાક એવા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમને રોજિંદા જીવનમાં પણ અસર કરી શકે છે. તો આજે જ જાણી આ ફેરફારો વિશે
1 ફેબ્રુઆરીએ રજૂ થશે BUDGET-2022
નવા વર્ષ 2022નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી હવે પુરો થવાનો છે. આવતા મહિનાના પ્રથમ દિવસ એટલે કે ફેબ્રુઆરીથી ઘણા ફેરફારો થવાના છે.
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ (BUDGET 2022-23) રજૂ કરશે. સ્વાભાવિક છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થા બદલાઈ જશે. બજેટ સિવાય પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો છે જે 1 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા ખિસ્સા પર પણ અસર કરશે.
SBI કરી રહી છે મોટા ફેરફારો!
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે બેંક IMPS દ્વારા રૂ. 2 લાખથી રૂ. 5 લાખ વચ્ચેના નાણાં ટ્રાન્સફર કરવા માટે રૂ. 20 અને GST ચાર્જ વસૂલશે. એટલે કે હવે પૈસા ટ્રાન્સફર કરવા તમારા માટે મોંઘુ પડશે.
અગાઉ ઓક્ટોબર 2021 માં, આરબીઆઈએ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. રિઝર્વ બેંકે પણ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.
ક્રીપ્ટો કરન્સી પર ટેક્સ લાગી શકે છે
આ બજેટ બાદ ક્રીપ્ટો કરન્સીના પૈસા પર ટેક્સ લાગી શકે છે એટલે કે ખરીદ વેચાણ બાદ કમાયેલી રકમ પર તમારે ટેક્સ આપવો પડે તેવી શક્યતા છે. બેંક ઓફ બરોડાના નિયમોમાં ફેરફાર
1 ફેબ્રુઆરીથી થઈ રહેલા ફેરફારોમાં બેંક ઓફ બરોડાના ચેક ક્લિયરન્સનો નિયમ પણ સામેલ છે. બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે હવે ચેક સંબંધિત માહિતી મોકલવી પડશે, તો જ તમારો ચેક ક્લિયર થશે. તમને જણાવી દઈએ કે આ ફેરફારો 10 લાખ રૂપિયાથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે.
પીએનબીએ કડકાઈ દાખવી
પંજાબ નેશનલ બેંક (PNB)ના બદલાતા નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ખરેખર, હવે જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે હપ્તો અથવા ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ નિષ્ફળ જાય, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી આ દંડ 100 રૂપિયા હતો. એટલે કે હવે તમારે આ માટે વધુ રકમ ચૂકવવી પડશે.
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
નોંધનીય છે કે એલપીજીની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે બજેટ પણ સામે છે, તેથી જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવ પર શું અસર પડે છે. ભાવ વધે કે ઘટે તો તેની અસર જનતાના ખિસ્સા પર ચોક્કસ પડશે.
નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. આમાં, પ્રત્યક્ષ અને પરોક્ષ કર (વ્યક્તિગત આવકવેરાના દર) સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કોરોનાના કહેરથી પડી ભાંગી રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે આ સામાન્ય બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5 રાજ્યોની ચૂંટણી પણ સામે છે, તેથી માનવામાં આવે છે કે સરકાર આ બજેટમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.