સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 14 રાજ્યો /કેન્દ્ર શાસિત પ્રદેશોએ 24 કલાકમાં એક પણ મોત થયાની સૂચના આપી નથી.
દેશમાં ફરી કોરોનાની લહેર
આ રાજ્યોમાં 24 કલાકમાં કોઈ મોત નહીં
જાણો ક્યાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
દેશમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં વાયરસનો પ્રકોપ વધી ગયો છે. તેને લઈને પ્રશાસને પણ કડકાઈ વર્તી છે. રાહતની વાત તો એ છે કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં વાયરસનો ખતરો ઘટ્યો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થનારા કોઈ પણ મોતની સૂચના મળી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 14 રાજ્યો /કેન્દ્ર શાસિત પ્રદેશોએ 24 કલાકમાં એક પણ મોત થયાની સૂચના આપી નથી.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત
તેઓએ કહ્યું છે કે 14 રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજસ્થાન, જમ્મૂ અને કાશ્મીર, ઝારખંડ, ઓરિસ્સા, પોંડિચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, દમણ અને દાદરા અને દીવ અને નગર હવેલી, લદ્દાખ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, અંડમાન અને નિકોબાર દ્વીપ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે. રાહતના સંકેતના રૂપમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વેક્સીનની પ્રક્રિયાના ભાગરૂપે કુલ 5.69 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર શુક્રવારે સાંજે 7 વાગ્યાના રિપોર્ટમાં કુલ 5,69,57,612 વેક્સીન અપાઈ હોવાનું સામે આવ્યું છે.
अब तक 5.69 करोड़ से अधिक कोविड वैक्सीन डोज़ दिए जा चुके हैं। आज 14.53 लाख से ज्यादा डोज़ दी गई हैं: स्वास्थ्य मंत्रालय #COVID19
વેક્સીનેશનની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે
જે લોકોને વેક્સીન અપાઈ છે તેમાં 80,66,471 હેલ્થ વર્ક્સને પહેલો ડોઝ અપાયો છે તો 51,27, 234ને વેક્સીનનો અન્ય ડોઝ પણ અપાઈ ચૂક્યો છે. 86,79, 307 ફ્રન્ટ લાઈન વર્ક્સને પહેલો ડોઝ અને 34,96,356 ને અન્ય ડોઝ અપાયો છે. 60 વર્ષથી ઉપરના 2,57,01,645 લોકોને વેક્સીન અપાઈ છે તો 45 વર્ષથી ઉપરના 58,86,599 લોકોને વેક્સીન અપાઈ છે.
અહીં વધ્યું છે કોરોનાનું ટેન્શન
महाराष्ट्र, पंजाब, कर्नाटक, छत्तीसगढ़ और गुजरात में कोरोना वायरस के नए मामलों में बढ़ोतरी जारी है: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતના દૈનિક નવા કેસમાં વધારો થયો છે, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અનુસાર મહારાષ્ટ્રમાં શુક્રવારે 36,902 નવા કેસ આવ્યા છે તો 17019ને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે અહીં 112 નવા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
पंजाब में 3,176 नए कोविड मामले, 1,816 डिस्चार्ज और 59 मौतें दर्ज़ की गई।
તમિલનાડુમાં 1971 નવા કેસ આવ્યા છે તો 1131 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અહીં 9 મોત થયા હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે. દિલ્હીમાં 24 કલાકમાં 1534 નવા કેસ અને 9 મોત થયા છે.