અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. નરોડાના સ્પર્ષ રેસિડેન્સીમાં રહેતા કૃણાલભાઈ શાહ સહ પરિવાર બહારગામ ગયા હતા. તે દરિમયાન તેમના ઘરમાથી ચોરી થવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. મળતી માહીતી મુજબ 13 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન શાહ પરિવાર બહારગામ હતો. પણ જ્યારે શાહ પરિવાર ઘરે પરત આવ્યા ત્યારે ઘરની હાલત જોતા તેમને ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ છે.
સીસીટીવી તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા ઈસમો તેમના ઘરમા પ્રવેશ કરે છે. અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. 10 લાખના મુદ્દા માલ સાથે જ ડીઝીટલ લોકરની ચોરી કરી છે. ચોરીની ફરિયાદ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. અને સીસીટીવીના આધારે ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના નરોડામાં રહેતો પરિવાર લૌકિક પ્રસંગે બહારગામ ગયો હતા. તે દરમિયાન નરોડાના બંધ મકાનનું તાળુ તોડી ચોર ઘરમાં પ્રવેશ્યા હતા. જેણે ઘરના ડિઝીટલ લોકરમાં મુકેલા રૂ. 10 લાખના મુદ્દા માલની લોકરમાંથી ચોરી કરી હતી. જેને પગલે મકાન માલીકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે cctv કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.