બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "26/11ના મુંબઈ હુમલાના ગુનેગારોને લાવવાનું કામ હજુ અધુરુ છે."
UNSCની આતંકવાદ વિરોધી સમિતિની બેઠક મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી
જયશંકરે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને યાદ કર્યો
હુમલા દ્વારા વિશ્વભરના દેશોને જાહેરમાં પડકારવામાં આવ્યા હતા- જયશંકર
આ વખતે UNSCની આતંકવાદ વિરોધી સમિતિની બેઠક મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી. જણાવી દઈએ કે મુંબઈમાં તાજ હોટલને આ મીટિંગનું સ્થળ બનાવવું એ ભારત માટે મહત્વપૂર્ણ એટલા માટે હતું કારણ કે 14 વર્ષ પહેલા આ જ હોટલમાં એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને એ આતંકવાદી હુમલામાં 140 ભારતીય અને 26 વિદેશી નાગરિકો માર્યા ગયા હતા.
Delivered the Inaugural Address at the ‘Informal briefing on combating terrorism financing in local and regional contexts’. pic.twitter.com/HNQPDYoi9h
જયશંકરે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને યાદ કર્યો
26/11 મુંબઈ એટેક આજે પણ દરેક ભારતીયના મનમાં જીવિત છે અને બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "26/11ના મુંબઈ હુમલાના ગુનેગારોને લાવવાનું કામ હજુ અધુરુ છે." આજે એટકલે કે શુક્રવારે મુંબઈની તાજ હોટલમાં આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને યાદ કરતાં કહ્યું હતું કે, 'મુંબઈના તાજ મહેલ પેલેસમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સમયે આખા મુંબઈ શહેરને બંધક બનાવી લેવામાં આવ્યું હતું અને પીડિતોમાં સામાન્ય મુંબઈકર પણ સામેલ હતા.એમને કહ્યું હતું કે “14 વર્ષ પહેલાં મુંબઈ એ તે સમયનો સૌથી ચોંકાવનારો આતંકવાદી હુમલો જોયો હતો અને આ હુમલામાં 140 ભારતીય નાગરિકો અને 26 વિદેશી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. હકીકતમાં આખા શહેરને આતંકવાદીઓએ બંધક બનાવી લીધું હતું અને તેઓ એ સહરદ પાર કરીને પ્રવેશ કર્યો હતો."
કામ હજુ અધૂરું છે
આ બેઠક દરમિયાન એમને કહ્યું હતું કે એ હુમલો માત્ર મુંબઈ પર જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સમુદાય પર હતો. એ આતંકવાદી હુમલા પહેલા અમુક ચોક્કસ દેશોના નાગરિકોની ઓળખ કરવામાં આવી હતી અને આતંકીઓ એ હુમલા દ્વારા વિશ્વભરના દેશોને જાહેરમાં પડકારવામાં આવ્યા હતા. ત્યારથી અમે આ હુમલાના માસ્ટરમાઈન્ડ અને ગુનેગારોને સજા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ આ કાર્ય હજુ અધૂરું છે. એટલા માટે જ આ સ્થળ પર યુએનએસસીની આતંકવાદ વિરોધી સમિતિનું એકસાથે આવવું એ વિશેષ અને મહત્વપૂર્ણ છે."
The UN Security Council gathers at the 26/11 Memorial in Hotel Taj Mahal Palace, Mumbai. This sends a strong message on countering terrorism.
સુનાકના વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ યુકેની તેની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત
ભારતે આતંકવાદ વિરોધી બેઠકનું આયોજન કરવા માટે મુંબઈમાં તાજ હોટેલની પસંદગી કરી છે. આ બેઠકમાં ઘાનાના વિદેશ મંત્રી શર્લી અયોર્કોર બોચવે, ગેબોનના વિદેશ મંત્રી, સંયુક્ત આરબ અમીરાતના રાજ્ય મંત્રી રીમ બિંટ ઈબ્રાહિમ અલ હાશિમી, યુકેના વિદેશ સચિવ, અલ્બેનિયાના નાયબ વિદેશ મંત્રી મેગી ફિનો અને સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ વ્લાદિમીર પણ ઉપસ્થિત રહ્યા હતા. ઋષિ સુનકે વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ યુકેની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત પણ છે.