બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / The survey conducted by Naresh Patel for entry into politics had a shocking result

રાજકારણ / EXCLUSIVE : નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ માટે સર્વે કરાવ્યો તેમાં આવ્યું ચોંકાવનારું પરિણામ

ParthB

Last Updated: 12:07 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોડલધામની પોલિટિકલ સમિતિનો સર્વે અંત તરફ,નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ તેવો મત પડયો હોવાનો દાવો

  • નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને મહત્વના સમાચાર 
  • નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ થશે?
  • ખોડલધામની રાજકીય સમિતિનો સર્વે પૂર્ણ
  • રાજકારણમાં નરેશ પટેલ ન જોડાય તેવો મત: સૂત્ર

ખોડલધામની પોલિટિકલ સમિતિનો સર્વે અંત તરફ

નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોડલધામ પોલિટિકલ સમિતિનો સર્વે પૂર્ણતાને આરે છે. જેમાં નરેશ પટેલે રાજકારણ માં ન જવું જોઈએ તેવો સર્વેમાં સૂર ઉઠ્યાં છે. તેમ સુત્રો દ્વારા જણાવ્યું છે. મહત્વનું છે કે, સર્વે કઈ રીતે કર્યો તેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આ મહિનાના અંત સુધી સર્વે પૂર્ણ થશે. 

રાજકારણમાં હલચલ તેજ, નરેશ પટેલ હજુ અવઢવમાં

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખૂબ હલચલ તેજ છે એવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગત શુક્રવારે દિલ્હી જતાં આખા રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ શનિવારે રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતે હજુ કન્ફ્યુઝ છે. ન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીમાં લગ્નમાં ગયા હતા અને હોટલમાં ગયા બાદ તુરત પાછો આવી ગયા હતાં. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈ જ નેતા મારા સાથે હતા નહીં હું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાને મળવા માટે ગયો હતો નહીં. લગ્નમાં ઘણા લોકો ત્યાં આવ્યા હતા તેમની સાથે જ મેં મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે હું કોને મળ્યો હતો તે બધા નામો અત્યારે નહીં કહું. 

કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા તેવી અટકળો 

નોંધનીય છે કે શનિવાર સવારથી નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા ગયા છે તેવી અટકળો વહેતી થઈ હતી કે તેમણે સોનિયા ગાંધી અને પ્રશાંત કિશોર સાથે મીટિંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ પણ સવારના ગેલમાં હતા અને રઘુ શર્મા સહિતના નેતાઓ કહી રહ્યા હતા કે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત છે.

તારીખ પે તારીખ....

નોંધનીય છે કે નરેશ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં બસ જાહેરાત કરી જ દેવાના છે તેવી અટકળો અને રાજકીય ચર્ચાઓ ઘણા દિવસથી ચાલી રહી છે. પણ દર વખતે નરેશ પટેલ દ્વારા કોઈ નવી જ તારીખ આપી દેવામાં આવે છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે નરેશભાઈ સર્વે કરાવી રહ્યા છે અને એપ્રિલ મહિનામાં જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હવે નરેશ પટેલ કહી રહ્યા છે કે 15મી મેની તારીખ ફાઇનલ છે. હવે જોવાનું એ રહે છે કે નરેશ પટેલ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ