'હિન્દુઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે. હિન્દુઓની તાકાત ઓછી થઇ ગઈ છે. હિન્દુત્વ પ્રત્યેનો ભાવ ઓછો થઇ ગયો છે. જો હિન્દુઓએ હિંદુ થઈને રહેવું હોય તો ભારતે અખંડ રહેવું જ પડશે.';મોહન ભાગવત
ભારતમાં રહેવું હશે તો ભારતને પોતાનું ગણવું પડશે; ભાગવ
ધર્માતરણ નહિ, જીવન પદ્ધતિ બદલવાની છે; સરસંઘચાલક
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શિબિરમાં પહોચ્યા ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, જો ભારતમાં રહેવું હશે તો ભારતને પોતાનું ગણીને રહેવું પડશે.હિંદુ બનીને રહેવું પડશે.અને હિન્દુએ હિંદુ બનીને રહેવું હશે તો ઐક્ય અને અખંડ બનવું પડશે.
હિન્દુઓની એકતા-અખંડતા પર વક્તવ્ય
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સંઘના વડા મોહનરાવ ભાગવતે હિન્દુઓને એકતા કેળવવા સાથે હિન્દુત્વ સાથે જોડાયેલી કેટલીય વાત કરી.ભાગવતે કહ્યું કે, 'તમે જોશો કે હિન્દુઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે. હિન્દુઓની તાકાત ઓછી થઇ ગઈ છે. હિન્દુત્વ પ્રત્યેનો ભાવ ઓછો થઇ ગયો છે. જો હિન્દુઓએ હિંદુ થઈને રહેવું હોય તો ભારતે અખંડ રહેવું જ પડશે.
મોહન ભાગવતના નિવેદનનો એક વિડીયો પણ સામે આવ્યો છે.જેમાં તેઓ કહી રહ્યા છે કે, હિન્દુઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે,હિન્દુઓની શક્તિ ઓછી થઇ ગઈ છે. ઈતિહાસ સિદ્ધ,તર્ક સિદ્ધ અને અનુભવ સિદ્ધ વાત છે કે, ભારત હિન્દુસ્થાન છે,હિંદુ અને ભારત અલગ થઇ જ ના શકે.ભારતે ભારત રહેવું હશે તો ભારતે પોતાના પર નિર્ભર રહેવું પડશે.હિંદુ રહેવું જ પડશે.હિન્દુએ હિંદુ રહેવું હોય તો ભારતને ઐક્ય અને અખંડ બનવું જ પડશે.
#WATCH | "You will see that the number & strength of Hindus have decreased...or the emotion of Hindutva has decreased....If Hindus want to stay as Hindu then Bharat needs to become 'Akand'," says RSS chief Mohan Bhagwat while addressing an event in Gwalior, MP pic.twitter.com/hkjkB5xMz1
મોહન ભાગવતના આ નિવેદનથી તાળીઓનો ગડગડાટ થયો. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત શુક્રવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોચ્યા હતા . ભાગવત અહિયાં ચાર દિવસીય શિબિરમાં શામેલ થયા હતા.સંઘના મધ્ય પ્રાંત કે સંઘચાલક અશોક પાંડેએ કહ્યું કે, આ ચાર દિવસીય પ્રાદેશિક સ્વર સાધક સંગમ ( શિબિર ) 25 નવેમ્બરથી સરસ્વતી મંદિર કેદારધામ પ્રાંગણમાં શરુ થયો છે