આવેશનું પ્રદર્શન આ વખતની સિઝનમાં જોરદાર હતું. આવેશે ડુ પ્લેસિસ અને મહેન્દ્ર સિંહ ધોનીને આઇપીએલ 2021માં 0 રનમાં પેવેલિયન મોકલી દીધા હતા. દિલ્હીની ટીમ આઇપીએલ સ્થગિત થવા પર પોઇન્ટ ટેબલમાં ટોપ પર હતી.
ક્રિકબઝ સાથે વાતચીત કરતા સહેવાગે કહ્યું કે, આ ટીમમાં અમે કગિસો રબાડા, અશ્વિન, અક્ષર પટેલ અને અમિત મિશ્રાની વાત કરીએ છીએ પરંતુ કોઇ પણ આવેશ ખાનની વાત નથી કરતુ. તે સીઝનના અંડર ધ રડાર પ્લેયર રહ્યો છે. તે શાંતિથી આવીને 2-3 વિકેટ લઇને જતો રહે છે. આવેશે આ સીઝનમાં રમાયેલ 8 મેચમાં કુલ 14 વિકેટ પોતાના નામે કરી છે અને ટુર્નામેન્ટમાં બીજા સર્વાધિક વિકેટ લેનાર પ્લેયર બન્યો છે.
આવેશે ધોનીની વિકેટ લીધા બાદ કહ્યું હતુ કે આ તેની ડ્રીમ વિકેટ હતી. ત્રણ વર્ષ પહેલા મને માહીની વિકેટ લેવાનો મોકો મળ્યો હતો પરંતુ કોઇએ કેચ છોડી દીધો હતો. હવે મારુ સપનુ પુરુ થઇ ગયુ છે. આ વાતથી હું ઘણો જ ખુશ છુ.
IPL થઇ સસપેન્ડ
દેશ માટે અત્યારનો સમય ખુબ જ મુશ્કેલીભર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ કીડી-મકોડાની જેમ ઉભરાઇ રહ્યા છે તો બીજી તરફ આઇપીએલમાંથી પણ વિદેશી ખેલાડીઓ બહાર થઇ રહ્યા છે.
આવા સમયમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો છે પરંતુ બાયો બબલમાં આઇપીએલ મેચ જોશ સાથે રમાઇ રહી હતી પરંતુ હવે બાયો બબલ પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. કોરોનાએ બાયો બબલમાં ઘૂસણખોરી કરી છે. કોરોનાએ આ બાયો બબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી અને ચેન્નઇ સુપર કિંગ્ઝના સપોર્ટ સ્ટાફને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.
કેકેઆરમાં વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ 3 મેના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ રમાનારી મેચને સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના કેટલાક ગ્રાઉન્ડમેન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
બીસીસીઆઇ પર ઉઠ્યા સવાલ
સખ્ત નિયમો વચ્ચે પણ કોરોનાની એન્ટ્રી બાદ પૂર્વ ભારતીય ખેલાજી કીર્તિ આઝાદે તાત્કાલિક આઇપીએલ રોકવાની સલાહ આપી છે. કીર્તિ આઝાદે આઇપીએલમાં ખેલાડીઓની સુરક્ષાને મહત્વ આપવુ જોઇએ તેમ કહ્યું છે. તેમણે આ માહોલમાં પણ લીગને આગળ વધારવા માટે બીસીસીઆઇ પર સવાલ ઉઠાવ્યા છે.