જામનગરમાં ટીનાભાઈ પર હુમલા માટે 14 શખ્સોને ખંડણી નકકી કરીને જયેશ પટેલે કામે લગાવ્યા હતા
જામનગરમાં બિલ્ડર પર ફાયરિંગ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. કુખ્યાત જયેશ પટેલના ઈશારે 14 શખ્સ દ્વારા સમગ્ર પ્લાન ઘડવામાં આવ્યો હતો. સમગ્ર કારસ્તાન પાછળ જયેશ પટેલનું નામ ખુલી રહ્યું છે. 14 શખ્સોને ખંડણી નકકી કરીને જયેશ પટેલે કામે લગાવ્યા હતા. પોલીસે ઘટના બાદ તુરંત પોતાની ટીમને હુમલાખોરની શોધખોળ શરૂ કરી દીધી હતી. જે બાદ એક બાળક સહિત કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે. સાથે પિસ્તોલ, તમંચો અને કારને પણ કબજે કરાઈ છે. તો હજુ પણ જયેશ પટેલ સહિત 8 શખ્સો પોલીસના સકંજાથી દૂર છે.
જયેશ પટેલ લાંબા સમયથી ફરાર છે. તેની વિરુદ્ધ ગુજસીટોકનો પણ આરોપી છે. જયેશ પટેલ સામે મારામારી, હત્યા, જમીન કૌભાંડ સહિતના 43 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 28 જાન્યુઆરીની સવારે બાંધકામ સાઇટ પર ટીના પેઢડીયા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અજાણ્યા શખ્સોએ ટીના પેઢરિયાને ગોળી મારી દીધી હતી. ટીનાભાઈ પેઢરિયાના ભાઈ હસુ પેઢરિયાએ FIR નોંધાવી હતી. જે બાદ પોલીસ તપાસમાં ચાર ભાડૂતી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે આ શખ્સોએ જયેશ પટેલના ઈશારે જ ફાયરિંગ કર્યું હોવાની વાતનો ખુલાસો થયો હતો.