આવતીકાલે પંજાબમાં નવું મંત્રિમંડળ જાહેર કરવામાં આવશે. જેમા કેપ્ટનના ખાસ 5 મંત્રીઓને કાઢવામાં આવશે. સાથેજ 7 નવા મંત્રીઓને ઉમેરવામાં આવશે.
આવતીકાલે પંજાબના નવા મંત્રીમંડળની રચના થશે
કેપ્ટનના ખાસ 5 મંત્રીઓને કાઢવામાં આવશે
નવા મંત્રીમંડળમાં 7 નવા મંત્રીઓ તશે સામેલ
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ મંત્રીમંડળને અંતિમ રૂપ આપી દીધું છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નવા મંત્રીમંડળની સ્થાપનાને લઈને તેઓ ત્રણ ચાર વખત દિલ્હી ગયા. જ્યા તેમણે નવા મંત્રીમંડળને લઈને રાહુલ ગાંધી સાથે ઘણી ચર્ચા કરી હતી.
Punjab Chief Minister Charanjit Singh Channi reaches Raj Bhawan to meet Governor Banwarilal Purohit. pic.twitter.com/o5k7enDaKP
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નવા કેબિનેટને અંતિમ રૂપ આપવા માટે મુખ્યમંત્રી ચન્ની આજે પંજાબના રાજ્યપાલને મળવા ગયા છે. અને કાલે સાંજે સાડા ચાર વાગ્યે પંજાબનું નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે. સાથેજ રાજભવનમાં નવા મંત્રીઓની શપથ વિધીનું પણ આયોજન કરવામાં આવ્યા છે.
કેબિનેટમાં 7 નવા મંત્રીઓ શામેલ થશે
સમગ્ર મામલે સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે. કે કેબિનટેમાં નવા 7 નવા લોકોને શામેલ કરવામાં આવશે. સાથેજ પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પાંચ મંત્રીઓને હટાવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે. જે મંત્રીઓને હટાવામાં આવશે તે બધાજ મંત્રીઓ કેપ્ટનના વફાદાર હોવાનું સામે આવ્યું છે.
કોણ કોણ શામેલ થશે ?
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે નવા સાત મંત્રીઓમાં રાજ કુમાપ વેરફા, કુલજીત નાગરા, ગુરકીરત સિંહ કોટલી, પરગટ સિંહ, અમરિંદર સિંહ, રાદા વારિંગ. રામા ગુરજીત અને સુરજીક સિંહના નામ શામેલ છે. જે લોકોને નવા મંત્રી તરીકે નીમવામાં આવશે. જેમના નામ સંભવિત લીસ્ટમાં પણ શામેલ છે.
કોનું કોનું નામ કપાશે ?
ઉલ્લેખનીય છે કે નવા મંત્રીમંડળની રચનામાં સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિદ્ધૂ, વન મંત્રી સાધુ સિંહ ધર્મસોત, રમત મંત્રી રાણા અને અન્ય ત્રણ મંત્રીઓ ગરીત સોઢી, એસએસ અરોડા, ગુરુપ્રીત કાંગરને બહાર કરવામાં આવશે તેવી સંભવના સેવાઈ રહી છે