હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હવે ચોમાસુ અંતિમ તબક્કામાં છે. જેમા 6 ઓક્ટોબરથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે
6 ઓક્ટોબરથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે
રાજ્યમાં આ વર્ષે 2 ટકાથી વદારે વરસાદ પડ્યો
નવરાત્રીમાં આ વર્ષે નહી રહે વરસાદનો ખતરો
ગુજરાતમાં હવે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા ચોમાસું હવે અંતિમ ચરણમાં છે તેવું હવામાન વિભાગે કહ્યુ છે. સાથેજ હવામાન વિભાગના કહેવા પ્રમાણે 6 ઓક્ટોબરથી ચોમાસું હવે વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગ દ્વારા આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
શાહીન વાવાઝોડાનું સંકટ ટળ્યું
અગાઉ રાજ્યનાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ વાવાઝોડું સક્રિય ન થયું. જેથી તેનું સંકટ ટળ્યું છે. અગામી 5 દિવસ રાજ્યમાં નહિવત પ્રમાણમાં વરસાદ રહેશે. જોકે વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠેથી 400 કિમિ દૂર છે વાવાઝોડું
આપને જણાવી દઈએ કે શાહિન વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી 400 કિમિ દૂર છે. જેથી આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની પરિસ્થિતી આગળ વધી રહયું છે. તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરશે.
રાજ્યમાં આ વર્ષે 2 ટકાથી વધારે વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદનો ખતરો પણ નહી રહે. સાથેજ રાજ્યમાં હવે વરસાદની ઘટ પણ સંપૂર્ણ દૂર ગઈ છે. આ વર્ષે ગુજરાતમાં 2 ટકાથી વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે પાણી અછત પણ નહ સર્જાય. જોકે મહત્વનું છે કે આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પડ્યો હતો.