કૃષિ કાયદાના મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે આજે 9 માં રાઉન્ડની વાતચીત યોજાઇ હતી, આ વાતચીત પછી કૃષિ મંત્રી તોમરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કેઓ આ બેઠકમાં નિણર્ય લઈ શકાયો નથી, જો કે ખેડૂતોને કૃષિ કાયદા રદ્દ કરવા સિવાયનો વિકલ્પ પસંદ કરવા કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે હવે આગામી વાતચીત 15 મી જાન્યુઆરીના રોજ થશે અને સરકાર અને ખેડૂતો બંનેએ સાથે મળીને આ ચર્ચા કરવાનું નક્કી કર્યું છે.
ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી બેઠક
કેન્દ્રીય મંત્રીઓએ અમિત શાહ સાથે કરી બેઠક
ખેડૂતો પોતાની માંગો પર અડગ
સરકારની સાથે ચાલી રહેલી બેઠકમાં ખેડૂત નેતા બલવંતસિંહે એક નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે કાં તો જીતીશું અને કાં તો મરીશું. મહત્વનું છે કે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીત હવે સમાપ્ત થઈ ગઈ છે, હવે આગામી વાતચીત 15મી જાન્યુઆરીએ થશે. આજે યોજાયેલી 9 માં રાઉન્ડની વાતચીત પણ અનિર્ણાયક રહી હતી, બંને પક્ષો વચ્ચે કુલ અઢી કલાક સુધી વાતચીત ચાલી હતી, જેમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે કાયદા પરત નહિ ખેંચાય અને ખેડૂતો તેને રદ્દ કરાવાના વલણ પર અડગ રહ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 8, 2021
ખેડૂતો અને સરકારની વચ્ચે વધુ એક વાર ચર્ચા શરુ થઇ ગઈ છે. કૃષિ મંત્રી તોમર અને રેલ મંત્રી ગોયલ ચર્ચામાં ભાગ લઈ રહયા છે. આ પહેલા બંને મંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી. અને આ બેઠક પહેલા કૃષિ મંત્રીએ સકારાત્મક માહોલમાં વાતચીત થવાની આશા દર્શાવી હતી. અત્યાર સુધીની ચર્ચામાં બંને પક્ષો પોતપોતાના વલણ ઉપર અડગ ઉભા છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનની વચ્ચે આજે ખેડૂત અને સરકાર વચ્ચે ફરીથી બેઠક થઈ રહી છે જેમાં ખેડૂતોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. ખેડૂતો સાથે બેઠક શરૂ થાય તે પહેલા કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. આજે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ રહી છે ત્યારે ખેડૂતો બસમાં સવાર થઈને વિજ્ઞાન ભવન પહોંચ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ પહોંચ્યા વિજ્ઞાન ભવન
ખેડૂતો સાથેની બેઠક માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને પીયૂષ ગોયલ વિજ્ઞાન ભવન પહોંચી ચૂક્યાં છે. જેને લઇને હવે ખેડૂતો સાથે બેઠક શરુ થશે. વિજ્ઞાન ભવન આવતા અગાઉ બંને મંત્રીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને બેઠકમાં હાજર રહ્યાં હતા.
Delhi: Union Ministers Narendra Singh Tomar and Piyush Goyal arrive at Vigyan Bhawan to hold talks with farmer leaders pic.twitter.com/4yYZrwaorY
સરકાર સાથે વાતચીત પહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈતે કહ્યું કે જો કાયદા ખતમ કરવામાં નહીં આવે તો આ આંદોલન 2024 સુધી લંબાવવામાં આવશે, અને હવે મોટી સંખ્યામાં પંચાયત કરવામાં આવશે. વિજ્ઞાન ભવનમાં ખેડૂતો સાથે વાતચીત પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને નરેન્દ્ર સિંહ તોમર અમિત શાહને મળવા પહોંચ્યા હતા. વાતચીતમાં સરકારની રણનીતિ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
આજે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ રહી છે ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીએ ફરીવાર મોદી સરકાર પર આ મુદ્દે નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારે પોતાના પૂંજીપતિ મિત્રોના ફાયદા માટે દેશના અન્નદાતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આંદોલનના માધ્યમથી ખેડૂતો પોતાની વાત કહી રહ્યા છે અને ખેડૂતોનો અવાજ ઉઠાવવો અને સમર્થન કરવું એ આપણાં સૌનું કર્તવ્ય છે.
ખેડૂત પર દબાણ બનાવવા કવાયત
નોંધનીય છે કે ખેડૂતો સરકાર પર દબાણ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂત અગ્રણીઓ કહી રહ્યા છે કે જો સરકાર કોઇ નિર્ણય લેતી નથી તો આંદોલન ખૂબ ઉગ્ર બનાવવામાં આવશે. રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના યૂથ વિંગ અધ્યક્ષ અભિમન્યુએ કહ્યું હતું કે આજે જે મિટિંગ થવા જઈ રહી છે તેમાં અમે પોઝિટિવ વિચાર સાથે જઈશું અને અમે તો પહેલા પણ ખુલ્લા મનથી ચર્ચા કરવા ગયા હતા પણ સરકાર મુદ્દાને લટકાવી રહી છે.
ગઈકાલે ખેડૂતોએ કર્યું હતું શક્તિપ્રદર્શન
ભારતીય કિસાન યુનિયન પંજાબના અધ્યક્ષ જગજીત સિંહ ઢલ્લેવાલે કહ્યું કે આશા છે કે આજે સરકાર કઇંક તો કરશે જ, કારણ કે ગઇકાલે જે ટ્રેક્ટર પરેડ કરવામાં આવી તે ખૂબ સફળ રહી છે અને સરકારને હવે સમજાઈ ગયું હશે કે ખેડૂતો એક થઈ ગયા છે અને આંદોલનમાં પાછળ હટવાના નથી. ત્રણેય કાયદા પાછા લેવામાં આવે અને એમએસપી પર ગેરંટી આપવામાં આવે.