વિવેક અગ્નહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ રિલીઝ થતાંની સાથે જ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ આ ફિલ્મે જોનાર દરેક દર્શકને ભાવૂક કર્યા છે, ત્યારે આ ફિલ્મના એક પાત્ર Bitta Karate હાલ શું કરે છે તેનાથી બહું ઓછા લોકો વાકેફ હશે.
દેશભરમાં ચર્ચાનો વિષય બની ધ કશ્મીર ફાઈલ્સ
Bitta Karate જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો છે અધ્યક્ષ
20 લોકોની જમ્મુ-કશ્મીરમાં કરી હતી ઘાતકી હત્યા
1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ દેશભરમાં ખૂબ મોટા પાયે જોવાઈ રહી છે, તો કેરળ સહિત કેટલાક રાજ્યોમાં વિવાદમાં પણ ઘેરાઈ છે, પરંતુ આ ફિલ્મમાં રહેલો 20 લોકોનો હત્યારો Bitta Karate જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી હાલ ક્યાં છે અને શું કરે છે તે અંગે ખૂબ ઓછા લોકોને ખબર હશે.
Bitta Karateનો રિયલ વીડિયો, લોકોને કેવી રીતે મારવા તે જણાવ્યું
ફિલ્મમાં બતાવવામાં આવેલ વિડિયોમાં Bitta Karate કબૂલાત કરતા પણ દેખાય છે કે તેણે 20 લોકોની હત્યા કરી હતી, જેમાંથી કેટલાક કાશ્મીરી પંડિત હતા. વીડિયોમાં બિટ્ટા કહી રહ્યો છે કે તેને મારતી વખતે કેવું લાગ્યું. તેણે કહ્યું કે પહેલા હત્યા બાદ તેને કંઈક અજુગતું લાગ્યું પરંતુ પછી બધું સારું લાગ્યું. બિટ્ટા ખૂબ જ નિર્દય રીતે હત્યા કરતો હતો. તે ચહેરો ઢાંક્યા વિના જ રસ્તા પર નીકળે છે અને પિસ્તોલથી લોકોને મારી નાખે છે.
હાલ શું કરે છે Bitta Karate ?
2008: India Today Conclave invited separatist Yasin Malik. India Today mentioned that he's a strong advocate for the right of return of Kashmiri Hindus.
2015: Yasin Malik protested against the colonies for Kashmiri Pandits.
2017: Yasin Malik assaulted India Today's Journalist.
મળતી માહિતી મુજબ, Bitta Karate જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ છે. Bitta Karateએ 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહાર પછી રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રાજનીતિમાં જોડાતા પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં Bitta Karateએ નરસંહાર અંગેના તમામ આરોપો કબૂલ કર્યા હતા, પરંતુ બાદમાં તેણે પલટવાર કર્યો હતો. બિટ્ટા હજુ પણ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ છે.
સોશિયલ મીડિયા ભાવૂક દ્રશ્યોથી છલકાયું
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને રડતા જોવા મળે છે. તાજેતરમાં એક વિડિયો (people crying watching The Kashmir Files) સામે આવ્યો, જેમાં એક કાશ્મીરી પંડિત મહિલા ફિલ્મ જોયા પછી રડવા લાગી. તે રડતી વિવેક અગ્નિહોત્રીના પગે પડી હતી અને અભિનેતા દર્શન કુમાર(Darshan Kumaar)ને ગળે લગાવીને ખૂબ રડી હતી. મહિલા રડતી હતી અને પોતાનું દર્દ કહી રહી હતી. તે કહેતી હતી, 'બધાએ અમારા હત્યાકાંડનું સત્ય છુપાવ્યું. મારા કાકાને આ રીતે નિર્દયતાથી મારવામાં આવ્યા. ફક્ત તમે જ અમારું સત્ય બહાર લાવો. તમે અમારા ભગવાન છો.'
After watching #TheKashmirFiles today in Gurgaon my younger sister Asha broke down. This heart wrenching film is our story of genocide in Kashmir. These tears are 32 years of pain bursting out. We have lived through our truth being denied. No more. @vivekagnihotri@AnupamPKherpic.twitter.com/yNqWYLKURW
90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની બહુ ઓછા લોકો જાણે છે. હવે જ્યારે લોકોને ફિલ્મ જોયા પછી તે ઘટના વિશે ખબર પડી રહી છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યાં નથી. કાશ્મીરી પંડિતો સાથેના એ નરસંહારને કોઈ ભૂલી શકે તેમ નથી. તે ઈતિહાસના કાળા અધ્યાય તરીકે ઓળખાય છે. તે દિવસે કાશ્મીરી પંડિતોને તેમના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે જો તેઓ કાશ્મીરમાં રહેવા માંગતા હોય તો તેમને 'અલ્લાહુ અકબર' કહેવું પડશે. હિંદુઓ વિરુદ્ધ ઠેર-ઠેર વૈમન્સ્ય ઉભું કરવામાં આવી રહ્યું હતું અને પંડિતોને ધમકાવવામાં આવી રહ્યા હતા.
કાળજું કંપાવનારા દ્રશ્યો
'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારોએ પડદા પર કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવી છે, તે હૃદયને તોડી નાખે છે. ફિલ્મમાં આવા ઘણા દ્રશ્યો છે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે અને તેને જોઈને દરેકનું દિલ હચમચી જશે.
The truth, the whole truth, and nothing but the truth.
— #रामावत_प्रशासक_समिति (@ramawatp9783907) March 14, 2022
700થી વધુ પીડિતોની મુલાકાત, વિવેક અગ્નિહોત્રી ખૂબ રડ્યા
'ધ કાશ્મીર ફાઇલ્સ' એમ લોકોના દિલ અને દિમાગને અસર કરી રહી નથી. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોના દમન અને દર્દની વાર્તાને સ્ક્રીન પર બતાવવા માટે ઘણું સંશોધન કર્યું. તેણે આ હત્યાકાંડની ઘણી સાચી ઘટનાઓને ફિલ્મી પડદે લાવ્યા છે. પીડિતો વિશે માહિતી એકત્રિત કરી અને ઘણાં દસ્તાવેજ સંશોધન કર્યા.
'Firstpost'ને આપેલા ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, 'મેં અને પલ્લવી જોશીએ અલગ-અલગ રિસર્ચ કરવાનું નક્કી કર્યું. કાશ્મીર વિશે આપણે જે કંઈ જાણીએ છીએ તે રાજકારણીઓ દ્વારા જાણીએ છીએ, પરંતુ સત્ય વિશે કોઈ જાણતું નથી. અમે વિશ્વભરમાંથી કાશ્મીર નરસંહારના 700 થી વધુ પીડિતોના ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું. અમે બે વર્ષ સુધી તેમની વાર્તાઓ સાંભળી અને રેકોર્ડ કરી. જ્યારે પણ અમે કોઈ વાર્તા સાંભળતા ત્યારે અમારી આંખો ભરાઈ જતી.
રડી પડ્યા વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું, 'હું રડતો નહોતો કારણ કે કોઈની હત્યા થઈ હતી. હું મારી જાત પર રડતો હતો. તે આત્મ દયા હતી. મેં મનમાં વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે કે આટલા બધા લોકો માર્યા ગયા, સ્ત્રીઓ પર બળાત્કાર થયો, તેમના સ્તનો કપાઈ ગયા અને કોઈ તેના વિશે વાત ન કરે? પલ્લવી અને મેં રાજકારણમાં ન આવવાનું નક્કી કર્યું અને એક માનવીય વાર્તા કહી જે ક્યારેય સાંભળી ન હતી.
શું બની હતી ઘટના?
ફિલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
તાજેતરમાં જ ફિલ્મ સર્જકે PM મોદી સાથે કરી હતી મુલાકાત
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
કેરળ સહિત અનેક રાજ્યોમાં છંછેડાયો વિવાદનો મધપૂડો
કોંગ્રેસના કેરળ એકમે કાશ્મીરી પંડિતોની હત્યા અને હિજરતને મુસ્લિમ સમુદાયની હત્યા સાથે સરખાવવાનો પ્રયાસ કર્યો છે. કેરળ કોંગ્રેસે આ અંગે નવ ટ્વીટ કર્યા છે. તેણે પહેલા ટ્વીટમાં કહ્યું કે આતંકવાદીઓએ ચોક્કસપણે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા છે. આ 17 વર્ષોમાં (1990-2007) 399 કાશ્મીરી પંડિતો આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા પરંતુ બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા મુસ્લિમોની સંખ્યા 15,000 હતી, જોકે બાદમાં ટ્વીટ ડિલીટ કરવામાં આવી હતી.
એક લાખ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હોવાની કરાઈ વાત
અન્ય ટ્વિટમાં, કોંગ્રેસે કહ્યું, "1984 પછીના કોમી રમખાણોમાં જમ્મુમાં 1,00,000 થી વધુ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હતા, પરંતુ પંડિતો સામે કોઈ બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી. જગમોહન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે કાશ્મીરમાંથી પંડિતોની મોટા પાયે હિજરત થઈ હતી. રાજ્યપાલ RSSના માણસ હતા. પંડિતોની હિજરત ત્યારે થઈ જ્યારે કેન્દ્રમાં બીજેપીના સમર્થનથી વીપી સિંહની સરકાર હતી. પંડિતોની હત્યા કર્યા પછી, તેમને સુરક્ષા આપવાને બદલે, બીજેપી રાજ્યપાલ જગમોહને તેમને ત્યાંથી જવા કહ્યું. મોટી સંખ્યામાં પંડિતોએ સલામતી અનુભવી ન હતી અને ખીણ છોડી દીધી હતી. કાશ્મીરમાંથી પંડિતો ભાગી રહ્યા હતા તે સમયે અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભાજપ હિંદુ-મુસ્લિમ વિભાજનનું એન્જિનિયરિંગ કરી રહ્યું હતું.
અનેક સિનેમાઘરોમાં મચી બબાલ
ઉલ્લેખનીય છે કે, સિનેમાઘરમાં લોકોએ ફિલ્મ જોયા બાદ વ્યક્તિગત દર્દ મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે દેશના અનેક ભાગોમાં રહેલ સિનેમાઘરમાં કેટલીક લાંછલ લગાડનારી ઘટનાઓ બની હોવાની પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે. કેટલીક જગ્યાઓ પર સ્ક્રિનિંગ પણ રોકવામાં આવ્યું હોય તેવા બનાવો બન્યા છે. જમ્મુ-શિલોંગ અને અન્ય કેટલાક સ્થળોએ ફિલ્મને લઈને બબાલ જામી છે. દક્ષિણ ગોવામાં ટિકિટ નહીં આપવામાં આવતા હંગામો મચ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ ગોવાના કાર્યવાહ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ખૂદ પણજીમાં ધ કાશ્મીર ફાઈલ્સ જોવા ગયા હતા.