બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / The Gujarat government opposed the release of 15 convicts.

BIG NEWS / ગોધરાકાંડને લઈને મોટા સમાચાર: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં આ દોષિતોના છૂટકારાનો કર્યો વિરોધ

Malay

Last Updated: 02:33 PM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં ગોધરાકાંડ મામલામાં દોષિતોને જામીન આપવા પર નરમ વલણ અપનાવવાનો ઈન્કાર કર્યો હતો. સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, ગોધરાકાંડના દોષિતોને જામીન આપવાનો સવાલ જ નથી.

  • ગોધરાકાંડના 15 દોષિતોના છૂટકારાનો ગુજરાત સરકારે કર્યો વિરોધ 
  • દરેક દોષિતોની ભૂમિકાની તપાસ કરશે ગુજરાત સરકારઃ સોલિસિટર
  • SCએ ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2002ના ગોધરાકાંડમાં પથ્થરમારો કરનારાઓમાંથી 15 દોષિતોના છૂટકારાનો વિરોધ કર્યો છે. સરકારે પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી છે. અહીં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ માત્ર પથ્થરમારાનો કેસ નથી. પથ્થરમારાના કારણે સળગતી બોગીમાંથી 59 પીડિતો બહાર નીકળી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, આ બદમાશોનો ઈરાદો એ હતો કે બોગીમાંથી કોઈ મુસાફર બહાર ન નીકળી શકે અને બહારથી કોઈ તેમને બચાવવા ન જઈ શકે.

SCએ ગુજરાત સરકારને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આમાંથી કેટલાક દોષિતો પથ્થરબાજો હતા અને તેઓ જેલમાં લાંબો સમય વિતાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન પર છોડી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ દરેક દોષીની ભૂમિકાની તપાસ કરશે કે શું ખરેખર આમાંથી કેટલાક લોકોને જામીન પર મુક્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 15 ડિસેમ્બરે આ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

વકીલે કર્યો વિરોધ, છતાં સમય આપવા સંમત થઈ ખંડપીઠ
જોકે, સમયના અનુરોધનો અપીલકર્તાઓના વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, પરંતુ ખંડપીઠ ગુજરાત સરકારને કેસની તપાસ કરવા માટે સમય આપવા માટે સંમત થઈ હતી. ખંડપીઠે જણાવ્યું કે, જો રાજ્ય પ્રસ્તાવિત કેસની તપાસ કરે છે, તો તે તમામ 15 અરજદારોને જામીન અરજી દાખલ કરવા માટે જોર આપવાની આવશ્યકતાને સમાપ્ત કરી દેશે. 

11 દોષિતોને ફટકારી હતી સખત આજીવન કેદની સજા
કોર્ટ ગોધરાકાંડ મામલે દોષિતોમાંથી એક દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર વિચારણા કરી રહી હતી. ગુજરાત રમખાણો મામલે અનેક આરોપીઓની સજાને યથાવત રાખતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશનોના એક બેચમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2017માં ગોધરા ટ્રેન કાંડ કેસમાં બહુવિધ અપીલોની સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા અને 63 અન્યને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જ્યારે 31 દોષિતોમાંથી 11ને સખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

એકને સુપ્રીમ કોર્ટે આપ્યા હતા જામીન
આ વર્ષે મે મહિનામાં તમામ દોષિતમાંથી એકને સુપ્રીમ કોર્ટે છ મહિનાના સમયગાળા માટે વચગાળાના જામીન આપ્યા હતા. કારણ એ હતું કે તેની પત્ની કેન્સરથી પીડિત હતી અને તેની દીકરીઓ માનસિક રીતે અશક્ત હતી. નવેમ્બરમાં કોર્ટે તેના જામીન માર્ચ 2023 સુધી લંબાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ