બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પિતાએ ફ્રાંસની નાગરિકતા માટે અરજી કરી છે. મહત્વનું છે કે બ્રેક્ઝિટ ડીલ ફાઇનલ થયા પછી તરત જ પીએમ બોરિસ જોહ્ન્સનના પિતાના આ નિર્ણયને યુકેના નિર્ણયના વિરોધ તરીકે જોવામાં આવે છે.
યુકેના પીએમ બોરિસ જ્હોન્સનના પિતાએ માંગી નાગરિકતા
સ્ટેન્લી જ્હોન્સને માંગી ફ્રાંસની નાગરિકતા
બ્રેક્ઝિટ ડીલ અંગેના વિરોધ તરીકે જોવાઈ રહ્યું છે આ પગલું
બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પિતાએ ફ્રેન્ચ નાગરિકત્વ માટે અરજી કરી છે. મહત્વનું છે કે બુધવારે બ્રિટીશ સંસદે યુરોપિયન યુનિયન સાથેની બ્રેક્સિટ ટ્રેડ ડીલને મંજૂરી આપી હતી. આ પછી પીએમ બોરીસ જ્હોનસન અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ પણ તેની પર હસ્તાક્ષર કરી આપ્યા હતા.
બ્રિટિશ વડાપ્રધાનના પિતાએ કહ્યું,' હંમેશા યુરોપિયન જ રહીશ '
બોરિસ જ્હોનસનના પિતા સ્ટેનલી જ્હોન્સને ગુરુવારે કહ્યું હતું કે તેઓ પોતાની ફ્રેન્ચ ઓળખને ફરીથી મેળવવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે તેમના ફ્રેન્ચ નાગરિક બનવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો હું બરાબર સમજી શકું તો હું ફ્રેન્ચ છું. મારી માતાનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જે સંપૂર્ણ ફ્રેન્ચ હતી,મારા દાદા પણ ફ્રેન્ચ હતા. મારા માટે અત્યાર સુધીનો પ્રશ્ન એ છે કે હું જે છું તે જ પાછું મેળવવું. સ્ટેનલી જહોનસને કહ્યું કે હું હંમેશા યુરોપિયન રહીશ. તે નિશ્ચિત છે. તમે મને બ્રિટિશ નહીં કહી શકો.
પીએમ જોહ્ન્સનના પિતા યુરોપિયન સંસદના સભ્ય રહી ચૂક્યા છે
બોરિસ જોહ્ન્સનનો પિતા 80 વર્ષના છે અને અગાઉ તે યુરોપિયન સંસદના સભ્ય રહી ચૂક્યો છે. તેમણે 2016 ના જનમત સંગ્રહમાં યુરોપિયન યુનિયન સાથે બ્રિટનને બનીન રહેવાના સમર્થનમાં મત આપ્યો હતો. ગુરુવારે રાત્રે 11 વાગ્યે બ્રિટનના યુરોપિયન યુનિયન સાથે આર્થિક સંબંધ તોડ્યા પછી બ્રિટિશ નાગરિકો યુરોપિયન યુનિયન હેઠળના 27 દેશોમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર ગુમાવશે. જો કે, જેની પાસે દ્વિ નાગરિકત્વ છે તેમની આ સુવિધા ચાલુ રહેશે.
શું છે બ્રેક્ઝિટ?
બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન + એક્ઝિટ. બ્રેક્ઝિટનો અર્થ સરળ છે બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવું. બ્રિટને એક વર્ષ અગાઉ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી હતી. 2016 માં યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા બ્રિટનમાં જનમત સંગ્રહ થયું હતું. જેનું પરિણામ બ્રેક્ઝિટની સમર્થનમાં આવ્યું હતું. જેને પગલે તત્કાલિન ડેવિડ કેમરૂન સરકારે રાજીનામું આપયુ હતું.
પૂર્વ વડા પ્રધાન થેરેસા મેના કાર્યકાળ દરમિયાન, ઘણી વખત બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ અંગે વાતો કરવામાં આવી હતી, પરંતુ સમજૂતી સધાઈ શકી નહોતી. જે પછી, બોરિસ જ્હોનસનના કાર્યકાળ દરમિયાન, અંતે યુરોપિયન યુનિયન સાથે બ્રેક્ઝિટ ડીલ અંગે ફાઇનલ સમજૂતી થઈ હતી.
યુરોપિયન યુનિયન કેવી રીતે બન્યું ?
બીજા વિશ્વ યુદ્ધ સમાપ્ત થતા યુદ્ધમાં ભાગ લેનારા તમામ દેશોને નુકસાન સહન કરવું પડ્યું. આ યુદ્ધના અંતના પાંચ વર્ષ પછી, ફ્રાન્સ અને જર્મની વચ્ચે એક સંધિ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો હવે એકબીજા સામે યુદ્ધ નહીં કરે. આ યોજના હેઠળ, છ દેશોએ વર્ષ 1950 માં એક કરાર પર હસ્તાક્ષર કર્યા. જેના સાત વર્ષ પછી રોમમાં એક સંધિ થઈ. જે પછી યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટિ ECC ની રચના થઈ.
આ યુરોપિયન આર્થિક સમુદાય આજે યુરોપિયન યુનિયન તરીકે ઓળખાય છે. 1973 ની શરૂઆતમાં, તેમાં ત્રણ નવા દેશો જોડાયા. આ દેશોમાંથી એક બ્રિટન હતો. હાલમાં, ઇયુમાં 27 સભ્યો છે અને તેમની કુલ વસ્તી 500 મિલિયન જેટલી છે.