ભાવનગરના તળાજા ગામે રહેતા 101 વર્ષની વયના વૃદ્ધનું અવસાન થતાં પરિવારજનો દ્વારા તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી ધામધુમથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
તળાજામાં વૃદ્ધની વાજતે-ગાજતે અંતિમ યાત્રા
ત્રિભુવનભાઇનું 101 વર્ષની જૈફ વયે અવસાન
પરિવારજનોએ આપી અનોખી વિદાય
તળાજાના પરિવારે અનોખી રીતે શ્રદ્વાંજલી અર્પણ કરી
મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાંના તળાજામાં એક પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં પણ પોતાના સ્વજનનો અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી ધામધૂમથી અંતિમ વિદાય આપવામાં આવીહતી. પરિવારજનો દ્વારા તેમની ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રિભુવનભાઇનું 101 વર્ષની જૈફ વયે અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી ધામધુમથી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
અંતિમયાત્રા ઢોલ-નગારા અને શરણાઈ વગાડવામાં આવી હતી
ભાવનગરના તળાજા માં એક વૃદ્ધ નું અવસાન થતા તેમના પરિવારજનોએ ઢોલ-નગારાના નાદ સાથે વાજતે-ગાજતે સ્મશાનયાત્રા કાઢી હતી. તળાજાના આ પરિવારે વાજતે ગાજતે સમશાન યાત્રા કાઢીને આ વૃદ્ધને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સત્તાયુ વટાવી ચૂકેલા ત્રિભુવનભાઈ રાઘવભાઈ પાલા ઉ.વર્ષ 101ની ઉંમરે સ્વર્ગવાસ થયા હતાં.અંતિમયાત્રા ઢોલ-નગારા અને શરણાઈ સાથે વાજ તે ગાજતે સ્મશાન સુધી લઇ જવામાં આવી હતી