2019માં સૌની યોજનાનું પાણી સાનીમાં પહોંચાડવાનું હતું..પરંતુ સૌની યોજનાનું પાણી તો ન પહોંચ્યું..અને ચોમાસામાં જે પાણી સાની ડેમમાં આવ્યું તે પણ ન સાચવી શક્યા
દ્વારકાનો સાની ડેમ જર્જર સ્થિતિમાં
સાત વર્ષથી દરવાજાની જુએ છે રાહ
કઢાયેલા દવાજા ફરીથી લગાવાયા નથી
વાતો વિકાસની. પરંતુ માત્ર સભાઓ પુરતી.કારણ કે વિકાસ તો વર્ષો સુધી જે જીવન જરૂરી વસ્તુઓનો થવો જોઈએ તે થતો જ નથી. વાત દ્વારકા જિલ્લામાં આવેલા સાની ડેમની છે.જ્યાં સિંચાઈ માટે વલખા મારતા ખેડૂતો અને કિસાન કોંગ્રેસે ડેમ પર હવન કરી વિરોધ વ્યક્ત કર્યો. પરંતુ આવું શા માટે કરવું પડ્યું. તો આવો જાણીએ તેની પાછળનું કડવું સત્ય.
સિંચાઈ વિભાગ બેદરકાર
વાત દ્વારકા જિલ્લાની જીવાદોરી એવા સાની ડેમની છે..જ્યાં કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ સાથે મળીને હવન કર્યો અને તે પણ ઊંઘતા તંત્ર અને સરકારને જગાડવા માટે કારણ કે, છેલ્લા 7 વર્ષથી સાની ડેમ ખાલીખમ છે. જે ડેમમાંથી 110 ગામો અને 3 નગરપાલિકાને પીવાનું પાણી અને હજારો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.. તે ડેમ હાલના સમયમાં ખાલી છે. અને તે પણ સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે.જેને લઈને ખેડૂતોએ પોતાનો આક્રોષ ઠાલવી સરકારની આંખો ઊઘાડવાનો પ્રયાસ કર્યો..
ન-પાણીયો સામી ડેમ
સાની ડેમ ખાલી કેમ થઈ જાય છે તે અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2010 થી 2013 સુધીમાં ડેમના દરવાજા તૂટવાના કારણે ખાલી કરવો પડ્યો હતો. 2018-19 માં ડેમનું સ્ટ્રક્ચર નબળું છે તેના રિપોર્ટ પણ આવ્યો.પરંતુ ત્યાર બાદ પણ આજ સુધી સિંચાઈ વિભાગે કોઈ કામગીરી ન કરી.છેલ્લા 7 વર્ષથી સાની ડેમ સતત ખાલી રહે છે, 2019માં સૌની યોજનાનું પાણી સાનીમાં પહોંચાડવાનું હતું..પરંતુ સૌની યોજનાનું પાણી તો ન પહોંચ્યું..પણ ચોમાસામાં જે પાણી સાની ડેમમાં આવ્યું તે પણ ન રોકાયું.. તેવામાં જો હજૂ પણ તંત્ર દ્વારા ગોકળ ગાયની ગતિએ કામ ચાલ્યું અને કોઈએ ધ્યાન ન આપ્યું તો 5 વર્ષ સુધી ડેમ ખાલીખમ રહેશે તેવી સ્થિતિ છે..
ડેમની જર્જર સ્થિતિ
ડેમની સ્થિતિને જોતા અહીં સવાલ એ થાય છે કે, 2018-19માં સાની ડેમનું સ્ટ્રક્ચર નબળું હોવાનો રિપોર્ટ આવ્યો છતાં કેમ તંત્ર નથી જાગ્યું? કેમ છેલ્લા 7 વર્ષથી સાની ડેમ ખાલી થઈ જાય છે..? શું ડેમના દરવાજા તૂટ્યા બાદ તેને રિપેરિંગ કરવાનો સમય નથી મળ્યો? ડેમનું સ્ટ્રક્ચર નબળું છે તો કેમ યુદ્ધના ધોરણે કામગીરી નથી થતી.. શું કોઈ દુર્ઘટના કે, વિરોધની આગ ભભુક્યા બાદ જ સરકાર જાગશે..? વિકાસની વાતો કરો છો તો કેમ સાની ડેમનો વિકાસ નથી થતો? સવાલો અનેક છે.. પરંતુ આશા રાખીએ કે, આ અહેવાલ બાદ સરકાર અને સિંચાઈ વિભાગ જાગશે.. અને લાખો લોકોની જીવાદોરી એવા સાની ડેમનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરશે.. જેથી આવતા ચોમાસામાં ડેમ છલોછલ ભરાય., અને ખેડૂતો અને લાખો લોકોને પાણી મળી રહે..