બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / રાજકોટ / The biggest twist on Naresh Patel's entry into Congress

BIG BREAKING / નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પર સૌથી મોટો ટ્વિસ્ટ: ખોડલધામના પ્રવક્તાએ કહ્યું, આ વાત ખોટી

ParthB

Last Updated: 12:07 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા દિવસથી નરેશ પટેલને લઈને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે હવે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે

  • નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશને લઈને ખોડલધામ પ્રવક્તાનું નિવેદન 
  • નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી-હસમુખ લુણાગરિયા
  • રાજકીય આગેવાનો પોત પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે-હસમુખ લુણાગરિયા

નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું મોટું નિવેદન

2022નું વર્ષ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે ત્યારે ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના? અનેક અટકળો બાદ હવે નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી છે તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. જેની વચ્ચે રાજકોટ ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયા એ મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે,નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે.  

રાજકીય આગેવાનો પોત પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે-હસમુખ લુણાગરિયા

ખોડલધામના આગેવાન હસમુખ લુણાગરિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે, નરેશ પટેલ હાલ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. તેમજ હાલ તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાત પણ ખોટી છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થશે તે પહેલા કેટલાક રાજકીય આગેવાનો પોત પોતાની રીતે પોતાનું નિવેદન આપતાં હોય છે.  

ઘણા દિવસથી PK ની હતી ચર્ચા 

થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

નરેશ પટેલ અને રાહુલ ગાંધીએ ફોન પર કરી વાતચીત 

નરેશ પટેલ તથા પ્રશાંત કિશોરને લઈને દિલ્હીમાં અનેક બેઠકો બાદ આખરે જ્યારે બંને કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે પણ રાહુલ ગાંધી અને નરેશ પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં નરેશ પટેલે પોતાની શરતો અને ઈચ્છાઓ રાહુલ ગાંધીને જણાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ