ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પાસે વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના છે.
કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ ન મળે તેવી શક્યતા
પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવનાઃ સૂત્રો
જાહેર હિસાબ સમિતિમાં પણ કોંગ્રેસ ને નહી મળે સ્થાનઃ સૂત્રો
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના પદ સંદર્ભે મોટા સમાચાર સામે આવ્યા છે.
કોંગ્રેસને નહીં મળે વિધાનસભામાં વિપક્ષનું પદઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષનું પદ ન અપાય તેવી સંભાવના છે. કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ ન મળે તેવી શક્યતાઓ છે. વિપક્ષનું પદ મેળવવા પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિપક્ષના નેતાનું પદ ન મળે તો જાહેર હિસાબ સમિતિમાં પણ કોંગ્રેસને સ્થાન મળશે નહીં. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કોંગ્રેસનું સંખ્યાબળ વિપક્ષનું પદ મળે એટલું પણ નથીઃ સૂત્રો
જે પ્રકારે આ વખતે ગુજરાતની જનતાએ ઐતિહાસિક પરિણામો આપ્યા છે. 156 બેઠકો ભાજપને આપી છે. જેના કારણે કોંગ્રેસનું સંખ્યાબળ વિપક્ષનું પદ મળે એટલું પણ નથી રહ્યું. ખાસ કરીને જોવા જઈએ તો શાસક પક્ષ હવે ધારે તો જ કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપી શકે છે. પરંતુ ક્યાંકને ક્યાંક શાસક પક્ષ દ્વારા મન મનાવી લેવામાં આવ્યું છે. વિપક્ષ જેવું કોઈ જ વિધાનસભા ગૃહમાં નહીં હોય. વિપક્ષના નેતા તરીકે કોઈને પણ સત્તાવાર રીતે પદ નહીં આપવામાં આવે. જેના કારણે જોવા જઈએ તો જાહેર હિસાબ સમિતિનું પદ વિરોધ પક્ષના નેતાના રૂહે મળતું હોય છે. આ પદ નહીં મળવાના કારણે જાહેર હિસાબ સમિતિમાં પણ કોંગ્રેસને સ્થાન નહીં મળે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
કોઈ વિરોધ પક્ષના નેતા વગર મળશે સત્રઃ સૂત્રો
આ ઉપરાંત ફેબ્રુઆરીમાં બજેટ સત્ર યોજવા જઈ રહ્યું છે. જેમાં વિધાનસભાના વિપક્ષના નેતા વગરનું સત્ર હશે. જો આવું થશે તો ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બનશે કે જ્યારે કોઈ વિરોધ પક્ષના નેતા વગર સત્ર મળશે.
કોંગ્રેસને ફક્ત 17 બેઠક પર સંતોષ માનવો પડ્યો
ભાજપની પ્રચંડ જીતથી ગુજરાતમાં બે દાયકા પછી માત્ર સત્તા પર પાછા ફરવાની કોંગ્રેસની આશાને ફટકો પડ્યો જ નથી, પરંતુ રાજ્યમાં ફરીથી ઉભરી આવવાની પાર્ટીની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ છે. ભાજપે છપ્પરફાડ વિજય મેળવીને કોંગ્રેસના ડાંડિયા ડૂલ કરી નાખ્યાં છે. કોંગ્રેસને ફક્ત 17 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે.