કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલો શિક્ષણ વ્યવસ્થા માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો અને તેમાં રાજ્યને એ-પ્લસ ગ્રેડ અપાયો હતો. જો કે, રાજ્યમાં શિક્ષણ જગતના સૌથી ચોંકવાનારા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજ્યની ખાનગી શાળામાં લાયકાત વગરના શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપાય છે. તેમ સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ પાસે ખાનગી સ્કૂલોમાં શિક્ષકોની લાયકાતના ડેટા નથી. બીજી તરફ ખાનગી શાળાના સંચાલકો લાયકાત વાળા શિક્ષકો બતાવી FRC પાસે મોટી ફી મંજૂર કરાવે છે. જ્યારે ઓછો પગાર આપવા માટે લાયકાત વગરના શિક્ષકોની ભરતી કરાય છે.
રાજ્યના એક પણ DEO પાસે લાયકાત વાળા શિક્ષકોનો ડેટા નથી.
બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગ ઘોર બેદરકારી સામે આવી છે કે, મહત્વનું છે કે, DEOની જવાબદારી શિક્ષકોની શૈક્ષણિક લાયકાત તપાસવાની હોય છે. પરંતુ રાજ્યના એક પણ DEO પાસે લાયકાત વાળા શિક્ષકોનો ડેટા નથી. આમ રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલી રહ્યું આટલું મોટું ધુપ્પલ ચાલતાં શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતની 40 ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલો શિક્ષણ વ્યવસ્થા માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો અને તેમાં રાજ્યને એ-પ્લસ ગ્રેડ અપાયો હતો, પરંતુ સુરતની 40 ખાનગી સ્કૂલોમાં 135 શિક્ષકો લાયકાત વિનાના મળી આવ્યા હતા. આ વિગતો બહાર આવતાંની સાથે જ તંત્રએ 40 ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને આગામી 31મી મે સુધીમાં લાયકાત વિનાના 135 શિક્ષકોને દૂર કરવાનો આદેશ અપાયો છે.
શિક્ષકની કેટલી લાયકાત હોવી જોઈએ?
- ધોરણ-1થી 5ના શિક્ષકે PTC કરેલું હોવું જોઈએ
- ધોરણ 6 થી 8ના શિક્ષકે BA , B.Ed કરેલું હોવું જોઈએ
- માધ્યમિકમાં BA, B.Ed, B.Sc કરેલું હોવું જોઈએ
- હાયર સેકન્ડરીમાં MA, M.Sc, B.Ed કરેલું હોવું જોઈએ
- આ નિયમો NCTEએ વર્ષો પહેલા નક્કી કર્યા હતા
- નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને લાયકત નક્કી કરી હતી
Vtvના સળગતા સવાલ
- શિક્ષણ વિભાગના અધિકારીઓને માત્ર પોતાના પગારમાં જ રસ?
- કેમ શિક્ષણ વિભાગ નથી કરતું લાયકાત વગર શિક્ષકોની તપાસ?
- ખાનગી શાળામાં શિક્ષકોની ગુણવત્તાની ચકાસણી કેમ નથી થતી?
- શાળાની મસમોટી ફી કોઇપણ ચકાસણી વગર કેમ FRC નક્કી કરે છે?
- સ્કૂલમાં લાયકાત વગરના શિક્ષકોની તપાસની કોની જવાબદારી ?
- લાયકાત વગરના શિક્ષકોથી કેવી રીતે ભણશે ગુજરાત?
- ખાનગી શાળાની મનમાની સામે કેમ સરકાર નથી કરતી લાલ આંખ?