રાજકોટમાં તહેવારનાં સમયમાં બેંકનાં કર્મચારીઓ હડતાળ કરવાના છે. કેન્દ્ર સરકારનાં બેંક મર્જર કરવાનાં નિર્ણય સામે બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે 22 ઓક્ટૉબરે યુનિયન દ્વારા 22 તારીખે બંધનું એલાન કરવામાં આવ્યું છે. સોમવારે બેંક કર્મચારીઓ વિરોધ કર્યાં બાદ મંગળવારે હડતાળ કરવાનાં છે.
સરકારના બેંક મર્જર નિર્ણય સામે વિરોધ
મંગળવારે બેંક કર્મીઓ કરશે હડતાલ
દિવાળીના સમયમાં થઈ રહેલી હડતાલથી ગ્રાહકોની પરેશાની વધશે
મંગળવારે બેંક કર્મીઓ કરશે હડતાલ
કેન્દ્રની મોદી સરકારે બેન્કિંગ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. સરકારે પબ્લિક સેક્ટરની ત્રણ બેન્કો - બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જર 1 એપ્રિલ, 2019થી લાગૂ થશે. આ મર્જરની સાથે દેના બેન્ક અને વિજયાં બેન્કનાં કરોડો એકાઉન્ટ હોલ્ડરની પાસબુક અને ચેકબુક રાતોરાત બદલાઇ શકે છે. રાજકોટમાં સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હડતાલથી ગ્રાહકોની પરેશાની વધશે
એક તરફ દિવાળી હોઈ વેપારી અને દેશવાસીઓને પૈસાની જરુરીયાત સૌથી વધારે છે. પૈસાનું ટ્રાન્જેક્શન થવાની શક્યાતાં સૌથી વધારે છે. આ દરમિયાન સરકારનાં બેંક મર્જરનાં નિર્ણયનો વિરોધ કરતાં રાજકોટમાં યુનિયન દ્વારા સોમવારે વિરોધ કરવામાં આવશે. એ બાદ તેઓએ 22 ઓક્ટૉબરનાં રોજ હડતાલનું એલાન કર્યું છે. જેથી હડતાળને લઈને તહેવારમાં ગ્રાહકોને પરેશાની થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈનાં પૂર્વ ગવર્નર રધુરામ રાજને સરકારનાં આ નિર્ણય પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે બેંકોનો વિલય ત્યારે થવો જોઈએ જ્યારે તેનું સ્વાસ્થ્ય સારું હોય ત્યારે નહીં જ્યારે તેમનું સ્વાસ્થ્ય ખરાબ હોય.