દસ્તાવેજ અનુસાર પટનામાં પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર હતા. ઇસમો પાસેથી મળેલ દસ્તાવેજ અનુસાર પટનામાં પીએમના કાર્યક્રમમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું
પટનાના ફુલવારી શરીફમાં બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ
આતંકવાદીઓના નિશાને હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ઝડપાયેલા બંને ઇસમો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યો
બિહારના પટનાના ફુલવારી શરીફમાં બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમની પૂછપરછમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર તેમના ઈરાદા ખૂબ જ ખતરનાક હતા. બંને ઇસમો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યો છે અને તેમની પાસેથી દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજ અનુસાર પટનામાં પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર હતા. ઇસમો પાસેથી મળેલ દસ્તાવેજ અનુસાર પટનામાં પીએમના કાર્યક્રમમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
તો શું આતંકીઓના નિશાને હતા PM મોદી ?
બિહારના પટનાના ફુલવારી શરીફમાં ઝડપાયેલા બે ઇસમો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. બંને વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે, 11 જુલાઈના રોજ ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતી મળી હતી કે, ફુલવારીશરીફ પોલીસ સ્ટેશન હેઠળ કેટલાક શકમંદો વડાપ્રધાનની પ્રસ્તાવિત પટના મુલાકાત દરમ્યાનખલેલ પહોંચાડવાના હેતુથી એકઠા થયા છે જેમાંથી ઝડપાયેલા આરોપીઓ પણ હતા. આ ઇસમોને એક પખવાડિયા માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. શંકાસ્પદ આતંકવાદીઓનો ફુલવારી શરીફમાં રમખાણો ફેલાવવાની પણ યોજના હતી જોકે સતર્ક ગુપ્તચર એજન્સીએ સમયસર શકમંદોના કાવતરાને નિષ્ફળ કર્યો હતો.
Bihar | Patna police recover PFI & SDPI posters along with other incriminating material from the house of two accused who had been nabbed yesterday, for allegedly indulging in anti-India activities pic.twitter.com/arszXBx6pb
પાટણથી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ આતંકવાદી તાજેતરના સમયમાં અન્ય ધર્મને અપમાનિત કરનાર નુપુર શર્મા સામે બદલો લેવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જે ક્રમમાં અમરાવતી અને ઉદયપુરમાં બદલો લેવામાં આવ્યો છે, આ અભિયાનમાં 26 લોકો એવા છે જેમના નામ અને સરનામા FIR કોપીમાં આપવામાં આવ્યા છે. દરોડા દરમ્યાન ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી પોલીસને દસ્તાવેજો મળ્યા છે. જેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની વાત છે વગેરેનો ઉલ્લેખ છે.
On July 6-7, in name of martial arts, locals were taught to use swords & knives. They instigated others toward religious violence. We have CCTV footage as well as witness accounts. Parvez also raised funds in lakhs, ED is being involved for the same: Bihar SSP Manish Kumar pic.twitter.com/D9o6YKFgMn
સમગ્ર મામલે ફુલવારી શરીફના અધિક પોલીસ અધિક્ષક મનીષ કુમારે જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે ઝારખંડના નિવૃત્ત પોલીસ અધિકારીઓ મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જલાલુદ્દીન અગાઉ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે સંકળાયેલો હતો.