રક્ષામંત્રી રાજનાથસિંહે દેશની દરિયાઇ સીમાના રસ્તે પાકિસ્તાનથી ટ્રેનિંગ મેળવેલ આતંકવાદીઓ હુમલો કરવાની શક્યતા વ્યક્ત કરી છે. આતંકવાદીઓ કચ્છથી લઇ કેરળ સુધીના દરિયાકાંઠા વિસ્તારો પર મોટો હુમલો કરી શકે છે.
ભારત એમને શાંતિથી નહીં રહેવા દે, જે એને હેરાન કરશે
પાકિસ્તાનથી ટ્રેનિંગ મેળવેલ આતંકવાદીઓ હુમલો કરવાની શક્યતા
આપણી નૌસેના એવા કોઇ પણ ખતરા સાથે લડવા સમગ્ર રીતે સક્ષમઃ રાજનાથ
ડિફેન્સ મિનિસ્ટરે કેરણના કોલ્લમમાં શુક્રવારે કહ્યું કે આ શક્યતાઓ નકારી ન શકાય કે પાકિસ્તાનના આતંકવાદીઓ દેશમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. તેમણે કહ્યું કે અમારા તટીય અને દરિયાઇ સુરક્ષા દળ આ શક્યતાઓને ધ્યાને રાખીને સમગ્ર રીતે સતર્કતા દાખવે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું તમને લોકોને ભરોસો અપાવવા માંગુ છું કે આપણી નૌસેના એવા કોઇ પણ ખતરા સાથે લડવા સમગ્ર રીતે સક્ષમ છે.
Defence Min Rajnath Singh in Kollam, Kerala: We're committed to maritime&coastal security of Kerala. We can't ignore the possibility of an attack by terrorists from our neighbouring country in coastal area. I want to assure you that Indian Navy is capable to avert such incident. pic.twitter.com/xHBqv50OPI
આદ્યાત્મિક ગુરૂ માતા અમૃતાનંદમયીના 66માં જન્મદિવસે આયોજિત કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે, ભારત એમને શાંતિથી નહીં રહેવા દે, જે તેને હેરાન કરશે. રક્ષા મંત્રી પુલવામા હુમલા બાદ વાયુ સેના દ્વારા બાલાકોટમાં આતંકવાદીઓને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલાનો હવાલો આપી રહ્યા હતા.
દેશની દરિયાઇ સુરક્ષા સમગ્ર રીતે મજબૂત છે
તેમણે કહ્યું કે, અમે આ વાતનો ઇન્કાર નથી કરી શકતા કે અમારા પાડોશી દેશના આતંકવાદીઓ ભારતના દરિયાકાંઠા પર મોટો હુમલો કરી શકે છે, જે કચ્છથી કેરળ સુધી ફેલાયેલ છે. એક રક્ષા મંત્રી તરીકે તમને આશ્વાસન આપું છું કે આપણા દેશની સમુદ્ર રક્ષા સમગ્ર રીતે મજબૂત છે. આપણે સમગ્ર રીતે તટીય અને સમુદ્ર રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.