જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી નાપાક હરકત કરી છે. શોપિયામાં CRPFના જવાનો પર આતંકીઓ હુમલો કરી ભાગી ગયા છે. શોપિયાના મિની સચિવાલમાં તૈનાત જવાનો પર ફાયરિંગ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ હુમલામા કોઇપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં મીની સચિવાલય ખાતે તૈનાત CRPFના જવાનો પર આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલો કરી આતંકીઓ ફરાર થઇ ગયા હતા. જો કે હાલમાં સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
Jammu and Kashmir: Terrorists attack a CRPF party deployed at South Kashmir's mini secretariat. No casualties or injuries reported so far. The area has been cordoned off. More details awaited.
આ પહેલા જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે સાંજે હુમલાખોરોએ વકીલ બાબર કાદરી પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેમનું મૃત્યું થયું. હુમલા બાદ તરત બાબરી કાદરીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. આ દરમિયાન તેમનું મૃત્યું થયું.
બાબરી કાદરી જમ્મૂ-કાશ્મીર જ નહીં દેશભરમાં જાણીતું નામ હતું. તેઓ ટીવી ડિબેટમાં ઘણી વખત જોવા મળતા હતા. ગોળી વાગ્યા બાદ તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં હતા, પરંતું તેમનું રસ્તામાં જ નિધન થઇ ગયું હતું. બાબરી કાદરીએ પોતાના છેલ્લા ટ્વિટમાં લખ્યું હતું કે તેમના જીવને ખતરો છે.