છત્તીસગઢમાં દૂર્ગા વિસર્જન દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમા એક બેકાબૂ કાર ચાલકે ભીડ પર કાર ફેરવી દીધી જેના કારણે 4 લોકોના મોત થયા છે. સાથેજ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
છત્તીસઢમાં દુર્ગા વિસર્જનમાં ભયંકર અકસ્માત
કાર ચાલકે 4 લોકોને કચડી કાઢતા તેમના મોત
ઘટનાને કારણે 20 લોકોના મોત
છત્તીસગઢનાં જશપુરમાં એક મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક કાર ચાલકે ધાર્મિક રેલીમાં સામેલ લોકોને તેજ રફતારમાં કચડી માર્યા છે. દુર્ઘટનામાં ચાર લોકોનાં માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 20 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
લોકોએ પોલીસ સ્ટેશન બહાર કર્યો ઘેરાવો
આ ઘટનાને કારણે લોકો ભયંકર રીચતે ગુસ્સે ભરાયા છે. પરિસ્થિતી અહિયા કાબૂની બહાર જતી રહી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ હવે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. લોકોને શાંત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો છે.
150 લોકોની ભીડ પર ગાડી ચઢાવી દીધી
ભક્તો દુર્ગામાતાના વિસર્જન વખતે જઈ રહ્યા હતા. તે સમયે ત્યા 100 થી 150 લોકો હાજર હતા. પાછળથી કારચાલકે ચીલ ઝડપે આવીને ભીડ પર ગાડી ચઠાવી દીધી. સાથેજ તે લોકોને કચડીને ત્યાથી ફરાર પણ થઈ ગયો . 2 ઘડી માટે સૌ કોઈ ચોકી ગયા હતા. જોકે આ ઘટનામાં 4 લોકોના મોત થતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
કાર રોકી કેમ નહી તે એક ગંભીર સવાલ
ઉલ્લેખનીય છે કે કારચાલકે લોકોની ભીડ જોઈને કાર શા માટે ન રોકી તે એક ગંભીર સવાલ ઉભો થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે. કે કારચાલકે કારમાં ગાંજો રાખ્યો હતો. જેથી જો તે ગાડી રોકતો તે પકડાઈ જતો અને આજકારણોસરક તેણે ગાડી રોકી ન હતી. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને દબોચી લીધો છે.