સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. બંનેના ડિવોર્સની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ પાવર કપલે એકબીજા સાથે ડિવોર્સ પણ લઈ લીધા છે.
સાનિયા અને શોએબ મલિકના સંબંધમાં તિરાડ
બન્નેએ ડિવોર્સ લીધા હોવાની ખબર ચર્ચામાં
શોએબ પહેલા આ એક્ટર સાથે લગ્ન કરવા માંગતી હતી સાનિયા
શાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિકના સંબંધમાં તિરાડ પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર બન્નેના ડિવોર્સના ચર્ચા થઈ રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ પાવર કપલે એક બીજા સાથે ડિવોર્સ પણ લઈ લીધો છે. અચાનક સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની વચ્ચે આવી ખબર સાંભળીને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે.
આ કપૂર સાથે જોડાઈ ચુક્યું છે નામ
સાનિયા અને શોએબે 12 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. કપલનો હાલ ઈઝહાન મલિક નામનો એક દિકરો પણ છે. શોએબ અને સાનિયા બન્નેના લગ્ન 2010માં થયા હતા અને ખબરોની માનીએ તો સાનિયા પોતાનું દુબઈ વાળુ ઘર છોડી ચુકી છે. ભલે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે તેનું નામ બોલિવુડ અભિનેતા શાહિદ કપૂર સાથે જોડાયું હતું.
બન્નેના રિલેશનની અફવાહ પણ ઉડી હતી
એક સમયે સાનિયા અને શાહિદ રિલેશનશિપમાં હોવાની ઘણી અફવા હતી. જ્યારે તે કોફી વિથ કરણમાં પહોંચી ત્યારે કરણ જોહરે સાનિયા મિર્ઝાને પણ આ અંગે સવાલ કર્યો હતો. કરણે સાનિયાને પૂછ્યું હતું કે, 'એવું કેવી રીતે બની શકે કે હિન્દી ફિલ્મોના છોકરાઓ તમને ક્યારેય સંપર્ક ન કરે?' જેના પર સાનિયાએ કહ્યું હતું કે, 'મારી સાથે આવું ક્યારેય નથી થયું'.
ત્યારે કરણ કહે છે, 'તારી અને શાહિદ વિશે પણ ચર્ચાઓ થઈ હતી. શું તેમાં કોઈ સત્ય હતું. તેના પર સાનિયા કહે છે, 'મને યાદ નથી, આ ઘણા સમય પહેલાની વાત છે. મારી સાથે આવું કંઈ થયું નથી કારણ કે હું ખૂબ જ ટ્રાવેલ કરું છું'.
આ કપૂર સાથે લગ્ન કરવા માંગતી હતી સાનિયા
આ પછી શોમાં શાહિદ કપૂર વિશે પણ ચર્ચા થઈ હતી. આ પછી જ્યારે કરણ જોહરે સાનિયાને પૂછ્યું કે તે રણબીર કપૂર, રણવીર સિંહ અને શાહિદ કપૂરમાંથી કોની સાથે લગ્ન કરવા, હૂકઅપ અને કિલ કરવા ઈચ્છે છે? તો તેના પર તેણે કહ્યું કે તે રણવીર સાથે હુકઅપ, રણબીર કપૂર સાથે લગ્ન કરવા અને શાહિદ કપૂરને કિલ કરવા ઈચ્છે છે.