ગુજરાત રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ મુંબઇથી ધરપકડ કરી છે. આજે તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયા બાદ સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા.
ધરપકડ બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયા
2002 રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો હતો ગુનો
પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે નોંધાયો ગુનો
શનિવારના રોજ ગઇકાલે ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. જ્યાર બાદ તિસ્તા સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી. તેની સાથે-સાથે આર.બી.શ્રીકુમારને પણ ક્રાઈમ બ્રાન્ચે સમન્સ પાઠવ્યું હતું. મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. આજે 2 વાગ્યાની આસપાસ સેતલવાડને કોર્ટમાં રજૂ કરાશે. વધુમાં જણાવી દઇએ કે, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે પણ ગુનો નોંધાયો છે. પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.
#WATCH | Teesta Setalvad's medical checkup done at Civil Hospital in Ahmedabad, Gujarat
"They have done my medical. I have a big bruise on my hand, this is what the ATS did to me. They are taking me to the magistrate's court," said Teesta Setalvad pic.twitter.com/NPQko8Lyv7
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું
જાન્યુઆરી 2014માં તિસ્તા સેતલવાડ સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ FIR
વિદેશી ફંડિંગના નાણાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યાનો પોલીસનો આરોપ
ક્રેડિટ કાર્ડથી તિસ્તાએ ઘરેણાં અને દારૂની ખરીદી કર્યાનો આરોપ
વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા હોવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.
તિસ્તા માટે વિવાદોમાં રહેવાના અનેક બનાવો સામે આવ્યા છે. તીસ્તાની સંસ્થા `સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ' ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તીસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે પીડિતોની મદદના નામે દેશ વિદેશમાંથી ઉઘરાવેલા નાણા તીસ્તાએ અંગત કાર્ય માટે વાપર્યા. 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય ત્રણ લોકોએ રૂ. 1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી.
Gujarat ATS detained and took activist Teesta Setalvad to Santacruz police station in Mumbai pic.twitter.com/X72wZ1pyee
પૂર્વ IPS અધિકારી આર.બી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ IPS અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરી છે. ગુજરાત રમખાણ કેસ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે રમખાણ મુદ્દે મુખ્યમંત્રીની મિટિંગમાં સહભાગી થવાનો દાવો કરનારું નિવેદન રાજનૈતિક રૂપથી સનસની ઊભી કરનારું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ હિરેન પંડયા અને આરબી શ્રીકુમારે SITના સામે જે જવાબ રજૂ કર્યા હતા તે નિરાધાર અને ખોટા સાબિત તહત્યા છે કારણ કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લોકો લો એન્ડ ઓર્ડરની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપસ્થિત પણ ન હતા.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમકોર્ટે જાકીયા ઝાફરીની અરજી રદ કરી
અરજી દાખલ કરવા પાછળ હેતુ ખોટો છે
કોર્ટની પ્રક્રિયાનો દૂરૂપયોગ કરનાર સામે કાર્યવાહીની જરૂર છે
જાકિયા ઝાફરીની અરજી બીજાના નિર્દેશોથી પ્રેરિત છે
જાકિયા ઝાફરીએ અદાલતના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા
બીજાના ઈશારે જાકિયા ઝાફરીએ સવાલો ઉઠાવ્યા
અરજીની સામગ્રીમાં સત્ય નથી
અરજીમાં SITની સત્યનિષ્ઠા અને ઈમાનદારીનુ ઓછુ આંકલન કરાયું.
કોર્ટની કાર્યવાહીને ખોટી રીતે ઉપયોગ કરનાર લોકોને કોર્ટમાં રજૂ કરવા જોઈયે
કોર્ટની કાર્યવાહીનો દૂરૂપયોગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે
તિસ્તા સેતલવાડનો છે વિવાદિત ઈતિહાસ
તિસ્તાએ 2019માં મહાકાળી માતાની તુલના ISISના આતંકવાદી સાથે કરતો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં એક આતંકવાદીના હાથમાં સુદર્શન ચક્ર દેખાડાયું હતું.હિંદુ માન્યતા પ્રમાણે સુદર્શનને ભગવાન વિષ્ણુનું શસ્ત્ર માનવામાં આવે છે. બીજી તરફ મહાકાળી માતાના ચહેરા પર ISISના આતંકવાદીનો ચહેરો લગાવાયો હતો. તે વખતે ફોટો વાયરલ થઈ ગયો સેતલવાડ સામે વિરોધનો વંટોળ ભભૂકયો હતો.હંગામો થયો તો તીસ્તાએ તરત જ વિવાદીત ફોટો પ્રોફાઈલ પરથી હઠાવી લીધો અને માફી પણ માગી લીધી હતી. આ ફોટો કેસમાં ગુજરાતમાં ત્રણ સ્થળોએ પણ સેતલવાડ સામે પોલીસમાં ફરિયાદ થઈ.
મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડનો ઉપયોગ કરવામાં આવ્યો: ગૃહમંત્રી અમિત શાહ
2002 ગુજરાત રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહના ખુલાસા આપતાં જણાવ્યું છે કે ,તે સમયે એવી વાતો ફેલાવવામાં આવી કે ફાયરિંગ માત્ર મુસ્લિમો માર્યા ગયા, પણ હવે કોર્ટે સ્વીકાર્યું છે કે આવું નથી થયું તમણે વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા પણ તે સમયે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ ઘટનાની ટીકા પણ ન કરી તેમણે કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીને ટાર્ગેટ કરવા માટે તિસ્તા સિતલવાડને કેન્દ્ર સરકારે મદદ કરી હતી