સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે.
સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.
ચાર જિલ્લાઓમાં ભયંકર વરસાદ
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.
વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો.
— All India Radio News (@airnewsalerts) May 18, 2021
રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.
દીવમાં મચાવી તબાહી
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.
#CycloneTauktae changed the course a bit and hit eastbound, northwest of Diu. Too high winds comparing Cat 2 Hurricane. Tides of 3-4m. Wish safety of all and those on board #p305 being rescued by @indiannavy below video from Jafrabad pic.twitter.com/Ru8uUFM2XX
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 18, 2021
સાથે જ અમદાવાદની SVP હોસ્પિટલના દ્રશ્યો પણ વાયરલ થયા છે
તૌકતે વાવાઝોડાની ગંભીર અસર પડી મુંબઈમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક વાહન ફસાયેલા દેખાયા ભરઉનાળે રસ્તા પર કેડસમા પાણી ભરાયા અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે તૌકતે વાવાઝોડું મુંબઈના દરિયાથી ટકરાઈને ગુજરાત તરફ આવ્યું છે.