સુરેન્દ્રનગરના બલદાણા ગામે જન આક્રોશ સભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને લાફો મારનાર તરુણ ગજ્જરે ૩૦ થી ૪૦ લોકોના ટોળા સામે તેને ઢોરમાર મારવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરુણ ગજ્જરે સ્ટેજ પર જઇને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તરુણને પકડીને ઢોરમાર માર્યો હતો. લાફો માર્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જોકે હવે લાફો મારનારા તરુણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં ૩૦ થી ૪૦ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
હાર્દિકને ચાલુ સભામાં તરુણ ગજ્જરે સ્ટેજ પર જઇ લાફો મારી દીધો હતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને પકડીને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલે તરુણ ગજ્જર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે લાફો મારનારા તરુણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં ૩૦ થી ૪૦ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તરુણની ફરિયાદ બાદ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે. તરુણ ગજ્જરે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે ૨૦૧૫માં સભા કરી તે વખતે અમને હોસ્પિટલ સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી. હાર્દિક ગમે ત્યારે ગુજરાત બંધ કરાવે, ગમે ત્યાં તકલીફ કરાવે, નાત-જાતમાં ભેદ પડાવે, જેનાથી લોકો હેરાન થાય છે. ૧૪ પાટીદાર શહીદ થયા એ પાટીદાર સમાજ માટે ક્લંક કહેવાય. હાર્દિક ગુજરાતનો હિટલર હોય તેવું શાસન કરવા માગે છે, હું તેનો વિરોધ કરીશ.
હાર્દિકના વિચારો સામે રોષ
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને લાફો ઝીંકનાર યુવકે સ્પષ્ટતા કરી છે કે, કોઈના કહેવાથી નહીં પરંતું હાર્દિકના કારણે અનેકવાર હેરાન થયા જેને લઈને રોષ છે. તેમણે કહ્યું કે, મને ભાજપ કે કોંગ્રેસથી નહીં પરંતું હાર્દિક પટેલના વિચારો સામે રોષ છે.
હાર્દિકની પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાના પર થયેલા હુમલા મુદ્દે આજે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપે જે કરવું હોય તે કરે મને કોઈ ફર્ક પડતો નથી. હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણીનો માહોલ જે પ્રકારે છે અને મારી સભામાં જેટલી ભીડ જમા થાય છે તે જોઈને ભાજપના લોકો ડરી ગયાં છે. હાર્દિકે કહ્યું હતું કે મારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી કારણ કે તે સિક્યોરિટી નહીં પરંતુ જાસૂસ છે.