ગત રાત્રેના સભામાં હાજર હતા તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું આજે વહેલી સવારે નિધન થયું છે. તેમના નિધનને લઈને ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે થયું નિધન
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સભાઓ અને રોડ શો યોજવામાં આવી રહ્યા છે. એવામાં ચૂંટણીના માહોલ વચ્ચે જેતપુર ભાજપની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જેતપુર તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું અવસાન થયું છે.
જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રખાયા
તાલુકા ભાજપના પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. આપને જણાવી દઈએ કે, ગત રાત્રેના જેતપુર ખાતે યોજાયેલી સભામાં તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા ઉપસ્થિત હતા. તેમના નિધનને પગલે ભાજપમાં શોકનો માહોલ સર્જાયો છે. વેલજીભાઈના નિધનને લઇ ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયાના તમામ કાર્યક્રમો મોફૂક રખાયા છે.
ગઈકાલે કોંગ્રેસ ઉમેદવારને આવ્યો હતો હાર્ટ એટેક
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચૂંટણી પહેલા ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને ગતરોજ હાર્ટ એટેક આવ્યો હતો. ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો હતો. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એટેક આવતા તેઓને સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.