તલાક એ હસન વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે આરોપી પતિઓને નોટિસ જાહેર કરીને 4 અઠવાડીયામાં જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાની અરજી પર સુનાવણી થઈ
મુસ્લિમ મહિલાને તેના પતિએ તલાક એ હસન અંતર્ગત નોટિસ મોકલી
મહિલાએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો
તલાક એ હસન વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે આરોપી પતિઓને નોટિસ જાહેર કરીને 4 અઠવાડીયામાં જવાબ માગ્યો છે. તલાક એ હસન મુજબ, કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ મહિનામાં એક વાર મૌખિક અથવા લેખિત રીતે પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને સતત ત્રણ મહિના સુધી આવી કરીને છૂટાછેડાની ઔપચારિક રીતે મંજૂર થઈ જાય છે. આ મામલામાં એક મહિલા પત્રકાર તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી.
આ મામલાને લઈને બેનઝીર હીનાએ કોર્ટમાં ખુદ પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું કે, પહેલા છૂટાછેડાની નોટિસ પર તેમનો દિકરો 7 મ હિનાના હતો. હવે તેનો જન્મદિવસ છે. એટલામાં તો ત્રિપલ તલ્લાકની નોટિસ આવી ગઈ. ત્યાર બાદ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલાને લઈને ગંભીર છે. કોર્ટના જણાવ્યા અનુસાર, અમુક મુદ્દા છે, જેને જોવાના છે. બેનઝીરે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે, આખા દેશમાં મારી જેવી તમામ મુસ્લિમ મહિલાઓ તલાક એ હસનથી પીડિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોશિશ કરીએ છીએ, અહીં બોલાવીને વાત કરીએ છીએ. પાછલી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, પહેલી નજરમાં તલાક એ હસન એટલુ અયોગ્ય નથી લાગતું.
એક મહિલા પત્રકાર તરફથી દાખલ અરજીમાં કહેવાયુ છે કે, તેના પતિએ પહેલા નોટિસ સ્પિડ પોસ્ટથી 19 એપ્રિલના રોજ મોકલી હતી. બાદમાં એક એક મહિનાના અંતરે બાકીની બે નોટિસ મોકલી. અરજીકર્તાએ કહ્યું કે, તલાક એ હસનની જોગવાઈ મનમાની છે અને મુસ્લિમ પુરુષ તે અંતર્ગત પત્નીને ત્રણ મહિનામાં એક એક કરીને ત્રણ વાર છૂટાછેડા આપે છે અને પછી છૂટાછેડા થઈ જાય છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે આ મહિનામાં જ કહ્યું હતું કે, મુસ્લિમોમાં તલાક એ હસન દ્વારા છૂટાછેડા આપવાની પ્રથમ ટ્રિપલ તલ્લાક જેવી નથી અને મહિલાઓ પાસે ખુલ્લો વિકલ્પ છે. ન્યાયમૂર્તિ એસ કે કૌલ અને ન્યાયમૂર્તિ એમ એમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે, જો પતિ અને પત્ની એક સાથે નથી રહી શકતા તો સંબંધ તોડવાના ઈરાદામાં બદલાવ ન થવાના આધારે પર સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત છૂટાછેડા આપી શકે છે. પીઠે તલાક એ હસન અને એકતરફી ન્યાયેત્તર છૂટાછેડા માટે તમામ અન્ય રીતોને અવૈધ અને અસંવૈધાનિક ઘોષિત કરવાના અનુરોધ વાળી અરજી પર સુનાવણી કરી રહી હતી.