ભારત તરફથી મળેલા પરાજયે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સના મગજ પર એટલી ઘાતક અસર છોડી છે કે તેઓ ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓ પર હવે નવા-નવા આરોપ લગાવીને તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
પાકિસ્તાનને મળેલા પરાજય બાદ પાક. ક્રિકેટરો ભડક્યા
ભારતીય ટીમ અને તેના ખેલાડીઓ પર લગાવી રહ્યાં છે આરોપ
રોહિત શર્મા પર લગાવ્યો મોટો આરોપ
પાકિસ્તાન હાર્યા બાદ પાક. ક્રિકેટરો દર્શાવી રહ્યાં છે નારાજગી
ટી-20 વર્લ્ડ કપ 2022ની પહેલી મેચમાં ભારત તરફથી કારમી હાર મળ્યાં બાદ પાકિસ્તાન અને તેના પૂર્વ ક્રિકેટર્સ પોતાની બેફામ નિવેદનબાજીથી બહાર આવી રહ્યાં નથી. ભારત તરફથી મળેલી કારમી હારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સના મગજ પર એટલી ઊંડી છાપ છોડી છે કે તેઓ ભારતીય ટીમ અને તેના ખેલાડીઓ પર હવે નવા-નવા આરોપ લગાવીને પોતાની નારાજગી દર્શાવી રહ્યાં છે.
રોહિતને લઇને PAK ક્રિકેટરનુ શરમજનક નિવેદન
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર મોટો અને પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. આકિબ જાવેદે રોહિત શર્મા પર પાકિસ્તાનની સામે ટી 20 વર્લ્ડ કપ 2022ની મેચમાં ટોસ દરમ્યાન અપ્રામાણિકતા દાખવી હોવાનો આરોપ લગાવ્યો છે. આકિબ જાવેદ મુજબ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જાણીજોઈને ટોસનો સિક્કો દૂર ઉછાળ્યો હતો.
ટૉસમાં અપ્રામાણિકતા દાખવી હોવાનો લગાવ્યો આરોપ
એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત કરતા આકિબ જાવેદે રોહિત શર્માના ટૉસ ઉછાળવા પર સવાલ ઉઠાવતા કહ્યું, રોહિત શર્માએ સિક્કો એવી રીતે ઉછાળ્યો જેમ કે તેઓ ટૉસ કરી રહ્યાં નથી. જ્યાં રોહિતે સિક્કો ફેંક્યો હતો ત્યાંથી માત્ર મેચ રેફરીએ જ જોયુ હતુ કે હેડ આવ્યું છે કે ટેલ.