ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે. ત્યારે સુરતમાં સ્વિમિંગ પુલ મોતના પુલ સમાન બની ગયા છે. 15 દિવસ પહેલાં પણ સુરતમાં સ્વિમિંગ પુલમાં એક બાળકનું મોત થયું હતું, જ્યારે વધુ એક મોતની ઘટના સામે આવી છે.
ઘટના છે અડાજણ વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્વિમિંગ પુલની. જ્યાં માત્ર 3 ફૂટ પાણીમાં ડુબી જતાં 70 વર્ષીય વૃદ્ધ વકીલનું મોત નિપજ્યું છે. સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની 15 દિવસમાં આ બીજી ઘટના છે.
#Suratમાં સ્વિમિંગ પુલે લીધો વધુ એક જીવ, 70 વર્ષીય વૃદ્ધ વકીલનું 3 ફૂટ પાણીમાં ડૂબી જતાં મોત, ઈન્સ્ટ્રક્ટરો ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ, 15 દિવસમાં બીજી ઘટના pic.twitter.com/6BZMdqsck0
આ અગાઉ પણ 11 વર્ષના બાળકનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. ત્યારે મ્યુનિસિપલ સંચાલીત સ્વિમિંગ પુલમાં ઈન્સ્ટ્રક્ટરો દ્વારા ધ્યાન ન આપવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. જોકે સુરતમાં ગરમીથી ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પુલનો સહારો બે લોકોને મોંઘો પડ્યો છે અને અમૂલ્ય જીવ ગુમાવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.